મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલો અદાલતે 9 માંથી 8 આરોપીઓની જામીન અરજી ફગાવી દિધી છે. જયારે એક આરોપીએ કરેલી અરજીનો આવતીકાલે ફેંસલો કરવામાં આવશે.
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલો
9 માંથી 8 આરોપીઓએ કરી હતી જમીન માટે અરજી
મોરબી ડિસ્ટ્રીક કોર્ટે 8 આરોપીઓની જમીન અરજી કરી રદ્દ
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. જે કરુણ ઘટનાને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ ઉઠતાં આ પુલનું રખરખાવની જવાબદારી સાંભળતી ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવતા મેનેજર સહીત 9 આરોપીઑને પોલીસે ઝડપી લિધા હતા. જેમાં જેલ હવાલે રહેલા 8 આરોપીઓની જમીન અરજી કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઇને મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.
સ્થાનિક કોર્ટમાં થયા હતા મોટા ખુલાસા
ગઈકાલે મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં મોટા ધડાકા થયા હતા. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી કંપની સકંજામાં આવી હોય અને ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હોવાનું ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હોવાનું તેમજ આ દુર્ઘટનાના દિવસે એટલે કે 30 ઓક્ટોબરે 3165 ટિકિટ આપી દેવમાં આવી હોવાના ખુલાશા થયા હતા.
દુર્ઘટનાના દિવસે આડેધડ 3165 ટિકિટો આપી દીધી
મોરબી હોનારતમાં પોલીસ દ્વારા 9 આરોપીઑ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે 9 માંથી આઠ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી આ વેળાએ FSL નો સ્થાનિક કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ સમક્ષ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીએ રૂપિયાની લહાઈમાં દુર્ઘટનાના દિવસે આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી.
100 ટિકિટ વેચાયા બાદ એન્ટ્રી રોકી દેવાની મેનેજરની ફરજ
ફરિયાદ પક્ષે ઓરેવાના મેનેજર દીપક પારેખની જામીન અરજીનો વિરોધ કરી જણાવ્યું હતું કે જે કંપની સાથે સમારકામનું કામ પેટા કોન્ટ્રેક્ટ દેવ પ્રકાશ સોલ્યુશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું તે આ કામના અનુભવી નથી. વધુમાં કોર્ટમાં વકીલે દલીલ કરતા કહ્યું હતું કે ઓરેવા કંપનીના એક મેનેજર તરીકે 100 ટિકિટ વેચાયા બાદ લોકોની એન્ટ્રી રોકી દેવાની તેમની ફરજ હતી. તેમ કહ્યું હતું.