જો ક્યારેક તમને ખબર પડે કે જે વસ્તુઓ તમે રોજ હેલ્ધી સમજીને ખાઓ છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો ? હા ખરેખર કેટલીક એવી ભૂલો લોકો શાકભાજી અને ફળનું સેવન કરતી વખતે કરતા હોય છે. જાણો શું છે આ ભૂલો
હેલ્ધી ચીજો ખાતા સ્વાસ્થ્ય પર ખરાબ અસર ન થાય
બટાકા ખાવાથી પણ સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર
દરેક વસ્તુની થઇ શકે છે આડઅસર
બટાકા
બટાકા મોટાભાગે દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે. શું તમે જાણો છો કે બટાકાનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે જ્યારે તેનો રંગ લીલો ન હોય. લીલા રંગના બટાકામાં ગ્લાઇકોલકકૅલૉએડ નામનો વિષયુક્ત પદાર્થ હોય છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આ સિવાય અંકુરિત બટાકા ખાવાથી પણ બચવું જોઇએ નહીંતર ઊલટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે
બદામ
કડવી બદામમાં સાઈનાઇડ જેવાં ઝેરીલા પદાર્થ હોઇ શકે છે. સંશોધન જણાવે છે કે આ પ્રકારની બદામનું વધારે સેવન તમને મૃત્યુના મુખમાં ધકેલી શકે છે. કડવી બદામનું સેવન ન કરવું જોઇએ
ચેરી
ચેરી પીળા અને લાલ જેવા જુદા જુદા રંગમાં મળે છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રમાં મળે છે. તેનું સેવન કરવથી વજન ઘટાડી શકાય છે. પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ વરદાન માનવામાં આવતી ચેરીનાં બી એટલા જ જોખમકારક હોય છે. આમાં હાઇડ્રોજન સાઈનાઇડ હોય છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
ટામેટાં
ટામેટાં ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પણ તેનાં પાનનું સેવન એટલું જ જોખમકારક હોય છે. આમાં ઝેરીલો પદાર્થ હોય છે. ટામેટાંના પાન ભૂલથી પણ ન ખાવાં જોઇએ
મશરૂમ
શિયાળામાં મશરૂમ ખાવા ખૂબ જ લોકપ્રિય હોય છે. આપણાં સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક હોય છે. પણ મશરૂમની કેટલીક પ્રજાતિઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માટે જ્યારે પણ મશરૂમ ખાઓ તો તેની ગુણવત્તા તપાસવી ખૂબ જ જરૂરી છે.