હાલ ડેંગીનો તાવ ખૂબ જ વકર્યો છે. ડેંગીથવા પર તેજ ફીવર રહે છે અને બ્લડમાં પ્લેટલેટ્સની સંખ્યા સતત ઘટવા લાગે છે. શરીરમાં નબળાઈ આવવા લાગે છે. ઘણીવાર આ બીમારી જીવલેણ પણ બની જાય છે. તેના માટે ઈમ્યૂનિટી ઈમ્પ્રૂવ કરવી જરૂરી છે. જેથી આજે અમે તમને ડેંગીથી બચવા માટેના બેસ્ટ ફૂડ્સ વિશે જણાવીશું.
વધી રહ્યા છે ડેંગીના કેસ
ઘરેલૂ ઉપાયોથી ડેંગીથી બચી શકાય છે
ડેંગી તાવ માટે આ ઉપાય છે બેસ્ટ
આ કારણથી થાય છે ડેન્ગ્યૂ
ડેંગીનો તાવ વાઇરસના ચેપને કારણે થાય છે. તેનો ફેલાવો એડિસ ઇજિપ્તિ મચ્છર કરડવાથી થાય છે. મચ્છર કરડયા પછી ચારથી સાત દિવસમાં ડેન્ગ્યૂનાં લક્ષણો જોવા મળે છે. આ મચ્છર મોટેભાગે દિવસે જ કરડે છે. આ મચ્છરો સામાન્ય રીતે કુંડા, કૂલર અને ટાયરના સાફ પાણીમાં પણ જન્મે છે. જેથી ઘર, ઓફિસ કે તેની આસાપસ પાણી જમા ન થવા દેવું. ડેન્ગ્યૂ તાવમાં વધુમાં વધુ પાણી પીવું અને આરામ કરવું જરૂરી છે.
કરો આ ઉપાય
ડેંગીના તાવમાં રાહત મેળવવા માટે નારિયેળ પાણી ખૂબ પીવો. તેમાં રહેલું ઈલેક્ટ્રોલાઈટ્સ અને મિનરલ્સ શરીરમાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
મચ્છરને ભગાડવાનો સૌથી બેસ્ટ ઉપાય છે કે તમે તુલસીનો છોડ, સિટ્રોનેલા અને લેમન ગ્રાસના છોડ લગાવો. આ મચ્છરોને ઉછરવા નથી દેતા. એ ખાસ કરીને ડેંગી વિરોધી છોડ હોય છે.
1 ગ્લાસ પાણીમાં 10 તુલસીના પાન ઉકાળીને પીવો. આનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તમે દિવસમાં ચાર વાર આ પાણી પી શકો છો.
ડેંગીના તાવમાં મેથીના પાનની ચા બેસ્ટ છે. તેનાખી શરીરના વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને ડેંગી વાયરસ દૂર થાય છે.
1 કપ ગરમ પાણીમાં એક ચમચી ગિલોયનો રસ, 2 કાળા મરીનો પાઉડર, અડધી ચમચી આદુનો રસ, પાંચ તુલસીના પાનનો રસ મિક્સ કરી ઉકાળો બનાવી 5 દિવસ સુધી લો. તેમાં થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો. આ ઉકાળો સવારે નાસ્તા બાદ અને રાતે ડિનર પહેલાં લઈ લો.
ડેંગીથી બચવા માટે ફિઝિકલી ફિટ, મેન્ટલી સ્ટ્રોન્ગ અને ઈમોશનલી બેલેન્સ રહેવું જરૂરી છે. સાથે જ સારું ભોજન કરવાથી, હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાથી અને પૂરતી ઊંઘ લેવાથી આ તાવથી બચી શકાય છે.
આ સાથે જ નાકની અંદર સરસિયાના તેલના ટીપાં નાખવા. તેની ચિકાશ બાહ્ય બેક્ટેરિયાને નાકની અંદર જતા રોકે છે.
ડેંગીથી બચવા વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. એક દિવસમાં બે આમળા, સંતરા અને મોસંબીનો જ્યૂસ પીવો. આ આપણી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.