નિષ્ણાંતો કહે છે કે વાળ ખરવાના લગભગ 40 કારણો છે અને તે થાઈરોઈડ, એનિમિયા અને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવા રોગોના સંકેત હોઈ શકે છે.
ખરતા વાળ આજકાલ કોમન સમસ્યા
સમસ્યા વધે તો થઈ જાઓ સતર્ક
વધુ પ્રમાણમાં વાળ ખરવા આ બીમારીનો છે સંકેત
થાક અને શ્વાસની તકલીફ એ સામાન્ય રીતે કોવિડના લક્ષણો તરીકે ગણવામાં આવે છે જે લાંબા સમય સુધી રહે છે. પરંતુ તે લોકોની રોજની એક્ટિવિટી, ક્વોલિટી ઓફ લાઈફ અને કામ કરવાની ક્ષમતાને ઘણી હદ સુધી અસર કરે છે. પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા કોવિડના લક્ષણો આના કરતા ઘણા વ્યાપક છે. નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસ અનુસાર, કોવિડ સાથે 62 લક્ષણો સંકળાયેલા છે. મહામારી બાદ વાળ ખરવાની સમસ્યા પણ વધી છે.
કોરોના સંક્રમિતોમાં જોવા મળ્યા 62 પ્રકારના લક્ષણો
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કોવિડથી સંક્રમિત લોકોમાં 62 પ્રકારના લક્ષણો જોવા મળે તેની સંભાવના છે. જો કે તેમાંથી માત્ર 20 લક્ષણો વિશ્વ આરોગ્ય સંસ્થાની કોવિડ ક્લિનિકલ કેસોની વ્યાખ્યામાં સામેલ છે. 12 અઠવાડિયાથી વધુ સમયથી કોવિડથી સંક્રમિત લોકોમાં વૈજ્ઞાનિકોને જોવા મળેલા કેટલાક લક્ષણો આશ્ચર્યજનક હતા. જેમ કે વાળ ખરવા.
ડૉ. બત્રા હેલ્થકેરના વાઇસ-ચેરમેન અને MD ડૉ. અક્ષય બત્રાએ જણાવ્યું હતું કે એ કહેવાની જરૂર નથી કે કોસ્મેટિક ઉદ્યોગમાં વાળ સંબંધિત સમસ્યાઓ ખૂબ મહત્વ ધરાવે છે અને મહામારી બાદ આ ફક્ત વધ્યું છે.
આ 40 કારણોથી ખરે છે વાળ
ડૉ. બત્રાએ કહ્યું, 'શું તમે જાણો છો કે વાળ ખરવાના લગભગ 40 કારણો છે અને તે થાઈરોઈડ, એનિમિયા અને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવા રોગોના સંકેત હોઈ શકે છે. તમારા વાળની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર નિર્ધારિત છે. તે તમારી માનસિક અને ભાવનાત્મક સ્થિતિને પણ નક્કી કરી શકે છે.
ટાલ આત્મવિશ્વાસમાં કરે છે ઘટાડો?
એક અભ્યાસ દર્શાવે છે કે 79 ટકા પુરુષોએ જણાવ્યું છે કે જો તેઓને ટાલ પડી જાય તો તે તેમના આત્મસન્માનને અસર કરશે. મોટા ભાગના કિસ્સાઓમાં, એવું જાણવા મળ્યું છે કે ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક વિકૃતિઓ કાં તો વાળ ખરવાનું કારણ છે, અથવા વાળ ખરવા એ ઘણી વ્યક્તિઓમાં ડિપ્રેશન અને સામાજિક ચિંતાનું લક્ષણ છે.
પાતળા, ડ્રાય, અને ડેમેજ વાળના સામાન્ય કારણ
એનીમિયા અને થાયરોઈડની સમસ્યા.
વાળને કેમિકલ ટ્રીટમેન્ટ જેવી સ્ટ્રેટનિંગ, પર્મિંગ અને કલરિંગ.
રેડિએશન થેરેપી.
ક્રેશ ડાયટિંગ.
સાફ-સફાઈનું પુરતુ ધ્યાન ન રાખવું.
લાંબા સમય સુધી કોવિડના લક્ષણ.
વાળ ખરવાથી અટકાવવા માટે શું કરશો?
ડૉ બત્રાએ સમજાવ્યું, “માથાની ચામડી એ વાળના છિદ્રો અને વાળ વચ્ચેની કડી છે. તેથી ડેન્ડ્રફ અને અન્ય ફંગલ ઇન્ફેક્શન પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, ડ્રાય ખોપરીની ચામડી ડેન્ડ્રફ વધારી શકે છે અને વધુ પડતી ઓઈલી સ્કીન ફૂગના ચેપને વધારી શકે છે. ઉપરાંત, માંદગી પછી વાળ ખરવા સામાન્ય છે.