વસંતઋતુ એટલે કે મધ્ય ફેબ્રુઆરીથી લઇને મધ્ય એપ્રિલ સુધીનો સમય સુર્ય ઉત્તરાયણ હોય છે. સુર્ય ઉત્તર દિશામાં જાય એટલે હવામાનમાં ગરમી વધે છે. તેની અસર આપણા શરીર પર પણ પડે છે. મનુષ્યનું સ્વાભાવિક બળ મધ્યમ અને અગ્નિ મંદ થઇ જાય છે. અગ્નિ મંદ થવાથી પાચનક્રિયા બગડવા લાગે છે અને પેટ સંબંધિત પરેશાનીઓ વધે છે. શરીરની ઉર્જા ઘટવા લાગે છે અને બિમારીઓ તેમજ સંક્રમણની શક્યતાઓ વધી જાય છે.
શીત અને ગ્રીસ્મ ઋતુનો સંધિકાળ વસંત હોય છે. ઠંડકથી શરીરમાં જમા થયેલો કફ ગરમી વધવાથી ઢીલો થઇ જાય છે. તેનાથી પાચકરસો ઓછા બને છે. પાચનક્રિયા સુસ્ત થઇ જાય છે. શરદી, તાવ અને અન્ય સંક્રમક રોગો વધી જાય છે. શરીર ભારે લાગવું, થાક, શરીર દુખવુ અને આળસ જેવા લક્ષણો આ સીઝનમાં જોવા મળે છે.
આ સીઝનમાં આંખોમાં ખંજવાળ, બળતરા, પાણી નીકળવું, નાકમાં સોજો, છીંકો, શ્વાસ લેવામાં પરેશાની, દમ, માઇગ્રેન, ગળામાં ખરાશ, તાવ, માથુ ભારે લાગવું, કાનમાં દુખાવો અને ત્વચા સંબંધિત રોગો વધી જાય છે. વસંતમાં શરીરમાં કડવો અને તીખો રસ વધી જવાના કારણે આમ થાય છે. વાતાવરણમાં પાકના પરાગરજોની સંખ્યા પણ વધી જાય છે. તેનાથી પણ ઇમ્યુનિટી ઘટે છે અને એલર્જીની શક્યતાઓ વધે છે.
આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
આ સીઝનમાં હળવુ અને સુપાચ્ય ભોજન કરો. હુંફાળા પાણીથી સ્નાન કરો.
કપુર, ચંદન અને કુમકુમ લગાવો. જુના ઘઉં, જવ, આદુ, મગ-મસુરની દાળનું સેવન કરો
મધ અને પાણી પીવો. લગભગ 30 મિનિટ યોગ અને વ્યાયામ કરો
નશો કરવાથી બચો. ટાઇમ ટુ ટાઇમ સુવો અને ઉઠો
પંચકર્મ જેવા વમન કર્મ કરો, તેનાથી દુષિત તત્વો બહાર નીકળે છે.
આ સીઝનમાં નસ્યક્રિયા લાભદાયી છે. નાકમાં ઔષધીય તેલ નાખવામાં આવે છે તેનાથી નાક અને મોંના રસ્તે કફ બહાર નીકળે છે.
વધુ પડતુ ચટપટુ અને તીખુ ન ખાવ. દિવસે ન સુવો. વધુ તૈલીય અને ખાટી વસ્તુઓ ખાવાથી બચો.