પેટના દુખાવાને સાધારણ માનીને તમે પોતાના હાર્ટને રિસ્કમાં મુકી રહ્યા હોવ એવું બની શકે છે. કારણ કે અમુક પેટના દુખાવા હાર્ટ એટેકનો સંકેત પણ આપતા હોય છે. તેમાં ઘણા સંકેતોને સમજીને એલર્ટ થવાની જરૂર છે.
પેટના દુખાવાને ન કરો નજર અંદાજ
પેટના દુખાવાથી આવી શકે છે હાર્ટ એટેક
આવા સંકેતો દેખાય તો ન કરતા નજર અંદાજ
પેટમાં દુખાવો થવા પર તમે તેને સામાન્ય માનીને ઈગ્નોર કરો છો. વધારેમાં વધારે ગેસ કે એસિડિટીની સમસ્યા માનીને દવા લઈ લો છો. અથવા તો કોઈ ઘરગથ્થુ ઉપાય કરી લો છો. બની શકે કે આ નુસ્ખાથી તમને રાહત મળી જાય પરંતુ ધ્યાન રાખો કે આ પ્રકારના ઉપચારથી તમને રાહત મળે છે તમારા હાર્ટને નહીં.
ઘણી વખત પેટમાં થતો દુખાવો હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ઈશારો પણ છે કે તમારૂ હાર્ટ ક્યારેય પણ એટેકનો શિકાર બની શકે છે. ખૂબ વધારે મોડુ થઈ જાય તે પહેલા પેટના દુખાવાને સમજો અને સમય રહેતા હાર્ટની સારવાર લો.
કેવા દુખાવાને ન કરવો જોઈએ ઈગ્નોર?
પેટમાં દુખાવા ઘણા પ્રકારના હોય છે. બધા દુખાવા અલગ અલગ ઈશારા કરે છે.
એક દુખાવો સામાન્ય હોય છે જેવો કે પેટમાં આંટી વળતી હોય તેવું લાગવું. સામાન્ય રીતે આ દુખાવો આંતરડાના કોઈ ઈન્ફેક્શનના કારણે થાય છે. આ પ્રકારના દુખાવામાં પેટમાં કંઈક ઝડપથી ફરતું હોય તેવું લાગે છે. તેની સાથે જ દુખાવાનો અહેસાસ પણ થાય છે.
આ પ્રકારના દુખાવાથી ઝાડા પણ થઈ શકે છે.
પેટમાં જમણી બાજુ દુખાવો થાય તો તે એપેન્ડિક્સનો દુખાવો પણ હોઈ શકે છે. આ દુખાવો ડુંટીની પાસે પણ અનુભવાય છે. આવો દુખાવો થવા પર એસિડિટી સમજીને તેને ઈગ્નોર કરવાની જગ્યા પર ડોક્ટરને બતાવો.
પેટથી લઈને કમર સુધી ઝડપી દુખાવો અનુભવાય તો તેના કારણે પથરી પણ થઈ શકે છે. પથરીના દુખાવામાં મોટાભાગે સોઈ વાગતી હોય તેવો અનુભવ થાય છે. પેનક્રિયાઝ, લિવર અથવા કિડનીમાં સ્ટોન ગમે ત્યારે થઈ શકે છે.
કઈ રીતે ઓળખશો પેટના દુખાવાનો હાર્ટ સાથે સંબંધ?
તમારા પેટની ઉપરના ભાગમાં દુખાવો રહે તો તેને ઈગ્નોર બિલકુલ ન કરો. તેને સામાન્ય દુખાવો માનવાની ભુલ મોંઘી પડી શકે છે. જરૂરી નથી કે દુખાવો એસિડિટીના કારણે જ થઈ રહ્યો હોય. તેના કારણે માયોકાર્ડિયાક ઈન્ફેક્શન પણ થઈ શકે છે.
આ એક એવું ઈન્ફેક્શન છે જે સીધુ હાર્ટ પર અસર કરે છે પરંતુ દુખાવો પેટમાં થાય છે. આ પ્રકારનો દુખાવો થવા પર ઈસીજી કરવામાં મોડુ ન કરો અને ડોક્ટરને પણ તેની સંપૂર્ણ જાણકારી આપો. આ દુખાવો ગમે ત્યારે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.