પથ્થરીની સમસ્યા કિડની અને પિત્તાશયમાં હોય છે અને તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. પિત્તાશયની પથ્થરીને ઓપરેશનથી જ કાઢી શકાય છે. પરંતુ અમુક સરળ હોમ રેમેડીઝથી પણ રાહત મેળવી શકાય છે. જાણો તેના વિશે
પથ્થરીની સમસ્યાથી છો પરેશાન?
આ ઘરગથ્થુ ઉપાય છે રામબાણા ઈલાજ
પિત્તાશયની પથ્થરી વગર ઓપરેશને કાઢી શકાશે
ઓલિવઓઈલ
શું તમે જાણો છો કો ઓલિવ ઓઈલ દ્વારા પિત્તની થેલીમાં રહેલી પથ્થરીને દૂર કરી શકાય છે. તેના માટે તમારે ઓલિવ ઓઈલ, ઔષધિઓ અને એપ્પલ સાઈડર વિનેગરની મદદ લેવી પડશે. આ ત્રણેને મિક્ષ કરીને તેનું સેવન કરો અને થોડા જ દિવસોમાં તમને ફરક દેખાશે.
એપ્પલ વિનેગર
એવુ કહેવામાં આવે છે કે વિનેગર પિત્તાશયમાં રહેલી પથરીને નરમ બનાવવાનું કામ કરે છે. પથ્થરી થવા પર દર્દીને સફરજનના વિનેગર વાળું પાળી પીવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રોબ્લેમથી પરેશાન દર્દી દરરોજ સવારે એપ્પલ સાઈડર વિનેગર વાળુ પાણી જરૂર પીવે.
સિંહપર્ણી
આયુર્વેદમાં તેને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તેનું સેવન કરીને પિત્તાશય, લિવર અને પિત્ત નળી સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરી શકાય છે. માનવામાં આવે છે કે તેના કડવા મૂળ પિત્તાશયમાં પિત્તની સમસ્યાઓને ઓછુ કરે છે.
વધારેમાં વધારે પીવો પાણી
પાણીને શરીર સાથે જોડાયેલી મોટાભાગની સમસ્યાઓને દૂર કરવાનો રામબાણ માનવામાં આવે છે. ગોલબ્લેડરમાં થયેલી પથ્થરીને બહાર કાઢવા માટે તમે પાણીની મદદ લઈ શકો છો. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવાથી પથરીની સમસ્યા ક્યારેય નથી થતી. અને જો આ સમસ્યા થઈ જાય તો પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે.