બટાકામાં વિટામિન-સી, આયર્ન, મેગનીઝ, બી કોમ્પલેક્સ, ફાસ્ફોરસ જેવા ઘણા પોષક તત્વોનો ભંડાર હોય છે.
બટાકામાં હોય છે ભરપુર માત્રામાં વિટામિન્સ
પરંતુ આ લોકોએ બટાકા ખાવાનું ટાળવું જોઈએ
જાણો ગર્ભવતી મહિલાઓને કેમ ન ખાવા જોઈએ બટાકા?
આપણું ભોજન આપણને સ્વસ્થ્ય રાખવામાં મુખ્ય ભુમિકા ભજવે છે. આપણે ઘણા શાકભાજીનું સેવ કરીએ છીએ. જેમાંથી એક છે બટાકા, જે લગભગ દરેક વ્યક્તિના ફેવરેટ હશે. આટલું જ નહીં બટાકા દરેક શાકની સાથે ભળી પણ જાય છે. બટાકામાં વિટામિન-સી, આયર્ન, મેગનીઝ, બી કોમ્પલેક્સ, ફાસ્ફોરસ જેવા ઘણા પોષક તત્વોનો ભંડાર હોય છે. એવામાં બટાકાનું સેવાન કરવાથી આપણા શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. પરંતુ શું તમે જાણો છો ઘણા લોકો એવા પણ છે જેમને પોતાની બિમારીઓના કારણે બટાટાનું સેવન કરવાથી બચવું જોઈએ.
ડાયાબિટીઝ ધરાવતા લોકો
ડાયાબિટીઝ એક એવી બિમારી છે જે ખૂબ જ ખતરનાક હોય છે. તેમાં ઘણી વસ્તુઓની ચરી પાડવાની હોય છે. જેમાંથી એક બટાકા પણ છે. જે લોકો આ બિમારીથી પીડાઈ રહ્યા છે. તેમણે બટાકા ન ખાવા જોઈએ. બટાકા ખાવાના કારણે વ્યક્તિના લોહીમાં શર્કરાનું અસંતુલન વધી જાય છે.
ગર્ભવતી મહિલાઓ
ગર્ભવતી મહિલાઓને પણ બટાકાનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં યૌગિત વધુ પ્રમાણમાં મળવાના કારણે ટોક્સિસિટી ઉત્પન્ન કરે છે અને ઉલ્ટી, ઝાડા જેવી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહીં ગર્ભના વિકાસને પણ પ્રભાવિત કરે છે. માટે ગર્ભવતી મહિલાઓને બટાકાનું સેવન ન કરવું જોઈએ.
ખાધ્ય એલર્જી વાળા લોકોને
જે લોકોને ખાદ્ય એલર્જી છે તેમણે બટાકાનું સેવન ન કરવું જોઈએ. ખાધ્ય એલર્જી એક સામાન્ય સ્થિતિ છે. હકીકતે, બટાકામાં મુખ્ય પ્રોટીનમાંથી એક પેટૈટિન હોય છે. જેના કારણે અમુક લોકોને એલર્જી થઈ શકે છે. માટે આવા લોકોએ બટાકાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેમની મુશ્કેલીઓ વધી શકે છે.