જાણકારી ન હોવાના કારણે આપણે એવી ભુલો કરી બેસીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક હોય છે.
સ્વસ્થ રહેવા ફોલો કરો આ ટિપ્સ
આ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે આ વસ્તુઓ
જો તમે સ્વસ્થ્ય રહેવા માટે હેલ્ધી ભોજન અને નિયમિત વ્યાયામ કરો છો અને સારા સ્વાસ્થ્ય માટે દરેક પ્રયત્નો કરો છો પરંતુ જો તમે ભોજન લેતી વખતે અમુક બેસિક ભૂલો કરો છો તો તમારી દરેક મહેનત બરબાદ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર ભોજન વખતે અમુક ભુલોના કારણે જ લોકો હેલ્દી લાઈફ લીડ નથી કરી શકતા. આટલું જ નહીં આયુર્વેદમાં પણ આ વાતની ભલામણ કરવામાં આવી છે કે જો તમે ભોજન લેતી વખતે કોમ્બિનેશને ફોલો નથી કરી રહ્યા તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાન કારક બની શકે છે.
એક જ ભોજનને વારંવાર ખાવું
જો તમે વારંવાર એક જ પ્રકારનું ભોજન લઈ રહ્યા છો તો શરીરને અન્ય પોષક તત્વોની કમી થઈ શકે છે. એવામાં ચાહે જેટલુ પણ હેલ્ધી ભોજન હોય તમારે ભોજનમાં વેરાયટી ફૂટને શામેલ કરવું ખૂબ જરૂરી છે.
ભિંડા સાથે કારેલા
ઘણા લોકો ભિંડાની સાથે કારેલા ખાવાનું પસંદ કરે છે પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે ભિંડા અને કારેલાને ક્યારેય સાથે ન ખાવા જોઈએ. આયુર્વેદ અનુસાર જો ભિંડા અને કારેલાનું એક સાથે સેવન કરવામાં આવે તો તે ઝેરનું કામ કરે છે. ભિંડા સાથે સલાડમાં મુળાનું સેવન પણ ન કરવું જોઈએ.
દહીં અને ડુંગળી એક સાથે
દહીંની સાથે ડુંગળીનું કોમ્બિનેશન તમને ઘણી સમસ્યાઓમાં મુકી શકે છે. જો તમે એવું ભોજન કરો છો તો સ્કિન ડિઝીઝ જેવા કે દાદ, ખાજ, ખુજલી, એગ્ઝિમા, સોરાઈસિસ અને ત્વચા અને પેટ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
અડદની દાળની સાથે દૂધનું સેવન
જો તને અડદની દાળ ખાધી છે અને તેના તરત બાદ દૂધ ન પીવું જોઈએ. એવું કરવાથી તમને પાચનની સમસ્યા થઈ શકે છે.
દૂધ અને નોનવેજનું સાથે સેવન
જો તમે ઈંડા, મીટ ખાધા બાદ દૂધનું સેવન કરી રહ્યા છો તો તમારા પેટમાં દર્દ, ઈનડાઈજેશન વગેરેની સમસ્યા થઈ શકે છે.
દૂધની સાથે ફળનું સેવન
આપણે મોટાભાગે દૂધમાં ફળ નાખીને શેક બનાવીને પીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ નાખીને ખાઈએ છીએ પરંતુ દૂધની સાથે ફળ પણ ન ખાવા જોઈએ. દૂધમાં ફળ મિક્ષ કરીને ખાવાથી દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એક્ઝાઈમને ખોઈ બેસે છે. તેનાથી શરીરને કોઈ ફાયદો નથી મળી શકતો. ઓવામાં ભોજન લેતી વખતે તમારે ધ્યાન રાખવું જરૂરી છે.