આજકાલ પનીર ભારતના ખાણીપીણીનો મહત્વનો ભાગ બની ચુક્યું છે. કદાચ જ ભારતીય ખાવામાં એવું કોઇ ખાવાનું હશે જેમાં એનો ઉપયોગ કરવામાં આવતો નથી. નોન વેજિટેરિયન લોકો માટે પ્રોટીન માટે ઘણા સ્ત્રોત છે પરંતુ વેજિટેરિયન લોકો માટે પ્રોટીન માત્ર દાળ અને પનીર છે.
કેટલાક વેજિટેરિયન વજન વધવાના ડરથી પનીર ખાતા નથી પરંતુ અમે તમને પનીરને લઇને એવું સત્ય જણાવીએ છીએ જે જાણીને તમે ભૂલી જશો કે પનીરથી મેદસ્વિતા વધે છે. જાણો કેવી રીતે પનીર ખાવાથી વજન વધશે નહીં અને સાચા પ્રમાણમાં તમારા શરીરને પ્રોટીન પણ મળી જશે.
પનીરમાં શું હોય છે
પનીર દૂધથી બનાવવામાં આવે છે. એને બનાવતી વખતે વધેલું પાણી એ પ્રોટીન હોય છે. સામાન્ય રીતે પનીર બનાવતી વખતે બચેલા આ પાણીને લોકો ફેંકી દે છે. પરંતુ તમારે વઝારે પ્રોટીનનું પ્રમાણ લેવું છે તો આ પાણીને ફેંકવાની જગ્યાએ એનો ઉપયોગ કરો. પનીર વાસ્તવમાં કાર્બોહાઇજ્રેટેસ, ફેટ્સ અને પ્રોટીનથી બનેલું હોય છે. પ્રોટીનમાં થોડા પ્રમાણમાં કાર્બ, પ્રોટીન અને ફેટ્સ હોય છે. જો પનીરને સંતુલિત માત્રામાં ખાવામાં આવે તો મેજસ્વિતા વધવાની જગ્યાએ તમે ફિટ રહી શકો છો.
પનીર ખાવાનો સાચો સમય
પનીરને વર્કઆઉટ કરતા પહેલા અથવા બાદમાં ખાવું જોઇએ નહીં, કારણ કએ આ સમય પર પનીર ખાવાથી શરીરમાં એની ફેટ જમા થતી નથી અને પ્રોટીન અવશોષિત થઇ જાય છે. પનીરને રાતે સૂતાના બે કલાક પહેલા ખાવામાં આવે છે. સૂતી વખતે આપણી માંસપેશીઓ અને લંબાઇ થોડી વધી જાય છે, જેના માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર પડે છે. એવામાં પનીર ખાવો એક સારો વિકલ્પ હોય છે.
પનીર ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, પરંતુ જરૂરિયાત કરતા વધારે પનીર ખાવું તમારા માટે નુકસાનકારક પણ હોઇ શકે છથે. પનીરમાં પ્રોટીનની સાથે ઉચ્ચ પ્રમાણમાં સંતૃપ્ત વસા પણ હોયછે, જે કોલેસ્ટ્રૉલના સ્તરને વધારે છે.