ડાયાબિટિસના દર્દીઓને માટે ભીંડાનું શાક ખૂબ જ ફાયદારૂપ માનવામાં આવે છે. તે પાચનને સારું કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.
ડાયાબિટિસના દર્દી માટે આ શાક કરે છે ફાયદો
ભીંડાના શાકમાંથી મળે છે અનેક વિટામિન્સ
પાચન અને બ્લડ શુગરને કરે છે કંટ્રોલમાં
દરેક ઘરમાં ભીંડાનું શાક બને છે અને સાથે જ તે નાના મોટા સૌને પસંદ પણ હોય છે. તમે તેનાથી અનેક ડિશ બનાવી શકો છો. આ સાથે કેન્સર અને ડાયાબિટિસના દર્દી માટે તે સુપરફૂડ સાબિત થાય છે. તેમાં વિટામીન બી, સી, ફોલિક એસિડ અને કેલ્શિયમ હોય છે. તેમાં ઓછી કેલેરી હોય છે અને ફાઈબર વધારે હોય છે. ભીંડા સ્વાસ્થ્ય માટે ફાયદો કરનારું માનવામાં આવે છે. તો જાણો ડાયાબિટિસના રોગમાં કઈ રીતે કરે છે ફાયદો.
ડાયાબિટિસના રોગીને કરે છે ફાયદો
શરૂઆતના સ્ટેજમાં ભીંડાના અનેક ફાયદા જોવા મળે છે. શોધમાં કહેવાયું છે કે ભીંડા ખાનારાનું શુગર લેવલ ઘટે છે. તુર્કીમાં લોકોને ભીંડાના બીજને શેકીને ડાયાબિટિસમાં ઉપયોગમાં લેતા જોવા મળે છે.
ફાઈબરથી ભરપૂર રહે છે
ભીંડા એક એવું શાક છે જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. જે ડાયાબિટિસને ઘટાડવામાં મદદ કરે છે. આ એન્ટી ડ્યુરેટિક ફૂડ છે જેમાં ફાઈબર વધારે હોય છે અને સાથે શુગર લેવલ ઓછું હોય છે. આ ગ્લાઈસેમિક કંટ્રોલને વધારે છે અને ઈન્સ્યુલિન સેન્સિટિવિટીને સારી કરે છે. ફાઈબરના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને જલ્દી ભૂખ લાગતી નથી. આ સાથે પેટની સમસ્યામાં પણ જલ્દી રાહત આપે છે.
એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર છે ભીંડા
તેમાં એન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ વધારે રહે છે. જેનાથી ચિંતા ઘટે છે. ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવા તમારે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાનો રહે છે. ચિંતાને ઘટાડવાથી તમે બીમારીઓથી બચી શકો છો.
કોલેસ્ટ્રોલને કરે છે મેનેજ
રિસર્ચમાં જાણવા મળ્યું કે ડાયાબિટિસના દર્દીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે માટે ડાયટમાં એન્ટીઓક્સીડન્ટ અને ફાઈબરની ચીજો લેવી જેથી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકાય.
આ રીતે ડાયટમાં સામેલ કરો ભીંડા
ભીંડાનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. તમે તેને ડુંગળી અને ટામેટા સાથે મિક્સ કરીને પણ બનાવી શકો છો. આ સિવાય ભીંડાને સુધારીને રાતે પાણીમાં પલાળીને રાખો અને સવારે આ પાણી પી લો. આ સિવાય ભીંડાના બીજને સૂકવી લો અને તેને પીસીને પાવડર બનાવો. તે પણ ફાયદો કરે છે.