લીવરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે કેટલાક સંકેતો સૂચવે છે કે તમારું લિવર ખરાબ થઈ રહ્યું છે. તેથી તેમને બિલકુલ અવગણશો નહીં.
લીવરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી
આ સંકેતો સૂચવે કે છે કે ખરાબ થયું છે લિવર
તેમને બિલકુલ અવગણશો નહીં
શું તમે જાણો છો કે તમારું લીવર બરાબર કામ નહીં કરતું હોય અથવા જો તેમાં કોઈ સમસ્યા હશે તો અનેક રોગો તમારા શરીરને પોતાનું ઘર બનાવી લેશે. માટે તમારૂ લિવર બરાબર કામ કરે છે કે નહીં તે માટે શરીર તમને આપતા સંકેતોને આ રીતે ઓળખો અને તેની અવગણના ન કરો.
લીવર ખરાબ થવાના લક્ષણો
3 થી 5 પાઉન્ડ વજન ધરાવતા લીવરનું આપણા શરીરમાં વિશેષ મહત્વ છે. તે પાચન તંત્રમાંથી આવતા લોહીને સાફ કરે છે અને તેને શરીરના બાકીના ભાગમાં મોકલે છે. આપણા લીવરની કાળજી લીધા વિના, જ્યારે આપણે કેટલીક ખરાબ ટેવોને આપણા જીવનનો ભાગ બનાવીએ છીએ, ત્યારે આપણું લીવર ખરાબ થવા લાગે છે. જેના કારણે લીવરને લગતી લગભગ 100 બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
આ છે લક્ષણો
આંખો, નખ અને પેશાબનું પીળું પડવું.
પેટની સાથે પગમાં સોજો આવવો.
સહેજ કામમાં થાક અને ત્વચાની શુષ્કતા
ભૂખ ન લાગવી, પેટમાં વારંવાર ગેસ થવો અને અપચો પણ લીવર ડેમેજના લક્ષણો માનવામાં આવે છે.
વધુ પડતુ દારૂ નુકસાનકારક
આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે સૌથી ખરાબ માનવામાં આવે છે. આલ્કોહોલના વધુ પડતા સેવનથી લીવરને ખૂબ જ ઝડપથી નુકસાન થાય છે. વધુ આલ્કોહોલનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. આ સાથે વજન પણ ઝડપથી ઘટવા લાગે છે. આલ્કોહોલ પણ અનિદ્રાનું કારણ બને છે. જે લીવરને નુકસાન થવાનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે.
આ રીતે કરો લિવરની દેખભાળ
નિષ્ણાંતોનું માનવું છે કે જો લીવર ફેટી થઈ ગયું હોય અથવા બગડતું હોય તો તેના ઈલાજ માટે કોઈ ચમત્કારિક દવા નથી કે તેને ખાવાથી તરત જ સમસ્યામાંથી છુટકારો મળી જશે. હા, પરંતુ જીવનશૈલી પર થોડો નિયંત્રણ રાખીને અને આહારમાં સુધારો કરીને લીવરને સ્વસ્થ રાખી શકાય છે.
આ માટે સૌથી પહેલા તમારે આલ્કોહોલનું સેવન બંધ કરી દેવું જોઈએ કારણ કે આલ્કોહોલને લીવર ડેમેજનું મુખ્ય કારણ માનવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીના રૂપમાં વધુ કેલરી લેવી પણ લીવર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લીલા શાકભાજીને તમારા જીવનનો એક ભાગ બનાવો. નિયમિત કસરત કરો.