આજકાલ મોટાભાગના લોકો યુરિક એસિડથી પરેશાન રહે છે. એવામાં તમારે પોતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ઉલ્લેખનીય છે કે જો તમે યુરિક એસિડથી પીડિત છો તો તમને સાંધાનો દુ:ખાવો અને આર્થરાઈટિસ જેવી સમસ્યા થઇ શકે છે.
વધતા યુરિક એસિડથી તમે પરેશાન રહો છો?
સાંધાનો દુ:ખાવો અને આર્થરાઈટિસ જેવી સમસ્યા થઇ શકે
ડાયટમાં એડ કરો આ ડ્રાયફ્રૂટ્સ, મળશે ફટાફટ આરામ
કાજુમાં પોટેશિયમ, ફાઈબર અને વિટામિન સીની પર્યાપ્ત માત્રા હોય છે, જેના કારણે યુરિક એસિડ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેથી તમે ત્રણ કાજુ દરરોજ ખાઈ શકો છો.
અખરોટને એક સુપરફૂડ કહેવામાં આવે છે. તેથી તેમાં એન્ટી ઑક્સિડેન્ટ હોય છે. આ બધા યુરિક એસિડને શરીરની બહાર નિકાળવામાં મદદ કરે છે.
બદામ હેલ્થ માટે ખૂબ ગુણકારી હોય છે. તો મગજને તેજ કરવાની સાથે-સાથે યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
બ્રાઝીલ નટ્સમાં પૂરતી માત્રામાં સેલેનિયમ હોય છે, જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તો તમે તેનુ સેવન કરી શકો છો.
અળસીના બીજ જરૂરી ફેટી એસિડથી ભરપૂર માત્રામાં હોય છે. એવામાં અળસીના બીજનુ સેવન કરો છો તો યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો.