ઉનાળાની મોસમમાં ગરમી ખુબ જ પડે છે. જો કે, જ્યારે તે લૂનું સ્વરૂપ ધારણ કરે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે. ગરમ હવાના કારણે શરીરનું તાપમાન સામાન્યથી વધારે થઈ જાય છે. જેના કારણે પગના તળિયામાં તથા આંખમાં બળતરા થવાની સાથે બેભાન પણ થવાના સમસ્યા બની જાય છે. કેટલીક વખત લૂ લાગવાથી દર્દીનું ઘણીવખત મોત પણ થઇ જાય છે. આ પ્રકારની સ્થિતિમાંથી બચવા માટે લૂના લક્ષણો જાણવા જરૂરી છે.
લૂ લાગવાના લક્ષણો
ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય છે, શરદી-ખાંસી પણ થાય છે, માથાંનો દુખાવો થવા લાગે, ઊલટી કે ઊબકા આવે એ પણ લૂના લક્ષણો છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે એ માટે ડુંગળી ખૂબ જ ગુણકારી છે. લૂથી બચવું હોય તો ડુંગળીની વાનગીઓ કરતાં કાચી ડુંગળી વધુ હિતકારી છે ડુંગળી બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે.એનાથી ઊંઘ આવે છે પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે.
લૂથી બચવાના ઉપાય
- ઉનાળામાં લૂ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા.
- સખત તાપમાં સતત કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો,
- કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું.
- શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે.
- લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ
ડુંગળી ઉત્તમ ઇલાજ
ઉલ્લેખનીય છે કે, આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી વધારે પડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે.