શ્રાવણનો મહિનો હિન્દુ ધર્મના લોકો માટે ખુબ મહત્વનો માનવામાં આવે છે. ઉપવાસ દરેક હિન્દુ રાખે છે પરંતુ બીમારી ધરાવતા લોકોએ ખાસ ધ્યાન આપવુ જોઇએ.
શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા છે ?
ડાયાબિટીસથી પીડાઓ છો તો ધ્યાન રાખજો
ડૉક્ટરની સલાહ લઇને ઉપવાસ કરજો
કેટલાક લોકોના મનમાં વ્રતને લઇને ઘણા સવાલ હોય છે પરંતુ જો તમને ડાયાબિટીઝ હોય તો ઉપવાસ રાખી શકાય?
માન્યતા એક તરફ અને સત્ય એક તરફ, ભગવાનને ભજવામાં તમારી હેલ્થ નડતરરૂપ થતી હોય તો હેલ્થના ભોગે ઉપવાસ ન કરવા જોઇએ. શ્રાવણનો મહીનો આવતા જ સવાલ થાય છે કે ડાયાબિટીઝના દર્દીઓએ ઉપવાસ રાખવા જોઇએ કે નહી.
ડાયબિટીઝના દર્દીઓ રાખે સાવધાની
કેટલાક રિપોર્ટ કહે છે કે આંતરિક ઉપવાસ હેલ્થ માટે ફાયદાકારક હોય છે પરંતુ ડાયબિટીઝના રોગીઓ માટે ઉપવાસ ખતરનાક સાબિત થઇ શકે છે. માટે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ ઉપવાસ રાખવા જોઇએ.
વ્રતનો ડાયબિટીઝના રોગીઓ માટે અલગ અલગ પ્રભાવ થઇ શકે છે. જે લોકોને વધુ પ્રમાણમાં ડાયબિટીઝ છે તેમનામાં રક્ત શર્કરા ઓછુ હોય છે. ગર્ભવતી સ્ત્રીઓએ પણ ઉપવાસરાખવાથી બચવુ જોઇએ.
ડાયબિટીઝ પિડીત લોકોને શ્રાવણમાં ઓછામાં ઓછા એક મહિના પહેલાથી જ તેમના ડૉક્ટર્સની સલાહ લઇને તૈયારી કરવી જોઇએ. ઉપવાસ દરમિયાન દવા પણ બદલવી પડે તેવું પણ બની શકે.
ડાયબિટીઝના દર્દીઓના રોગીઓએ સંયમથી ભોજન કરવુ જોઇએ. તેમણે શર્કરાવાળા પીણા, તળેલા પદાર્થ અને વધુ કાર્બોડાઇડ્રેટ વાળા પદાર્થોથી બચવુ જોઇએ. રોજ ડાયબિટીસની તપાસ કરાવવી જોઇએ, તેનાથી ઉપવાસ નથી ટુટતા.