ખુશ અને આશાવાદી રહેવાથી જીવનમાં લાંબુ જીવવામાં ખૂબ જ મદદરુપ સાબિત થઈ શકે છે. જો તમે જીવનમાં હંમેશા હકારાત્મક વિચાર રાખો છો અને આશાવાદી વિચાર સાથે જીવન જીવો છો તો તમારી જીંદગી લાંબી થશે તેમજ બીમારીથી પણ તમને બચવામા ખૂબ જ મદદરુપ થશે.
લાંબુ જીવવા માટે તમારે રોજની 7 થી 8 કલાકની ઊંઘ જરુરી
સારી ઊંઘ મળવાથી તમે બીમારીઓથી દૂર રહી શકો છો તેમજ સ્વસ્થ રહી શકો છો
તમારી ઊંઘવાની પેટર્નમાં સુધારો કરો
લાંબી જીંદગી તો સૌ કોઈ જીવવા માંગે છે પણ આજાણતા જ તમે એક એવી લાઈફ સ્ટાઈલ જીવવા લાગો છો. જેનાથી તમારી જીંદગીની ઉંમર 5 થી 10 વર્ષ ઓછી થઈ જાય છે. એમડીવીઆઈપીના એક અભ્યાસમાં ખબર પડી કે મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવવા માંગે છે. પરંતું તમે એ નથી જાણતા કે જીંદગીને કેવી રીતે વધારી શકાય. આ અભ્યાસમાં ભાગ લેનાર 87 ટકા લોકોએ જણાવ્યું કે તે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે કંઈપણ કરવા તૈયાર છે. જેમાં અડધાથી વધુ લોકો 100 થી વધારે ઉંમરના હતા. જેમાંથી 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓને લાંબુ જીવવા માંગે છે.
લાંબુ આયુષ્ય જીવવા માટેનો સાચો રસ્તો આ છે
વિટામિન ડી નું સેવન કરો
ક્લીવલૈડ હોસ્પિટલના જણાવ્યા અનુસાર વિડામિન ડી ની ઉણપ એક વૈશ્વિક સમસ્યા છે. દુનિયાભરમાં 1 અબજ લોકો વિટામિન ડી ની ઉણપ ધરાવે છે. વિટામિન ડી હાડકાઓ, નસો તેમજ તમારા ઇમ્યુનિટિ પાવરને મજબૂત રાખવા માટે જરુરી છે. આપણું શરીર સ્વાભાવિક રીતે સૂરજની રોશનુ જોડે સંપર્કમાં આવીને વિટામિન ડી બનાવે છે. પરંતું એની ઉણપ હોય તો તમારે જમવામાં સૅલ્મોન, ટ્યૂના અને દૂધ જેવી વસ્તુઓનું સેવન કરીને તેની ઉણપને પૂરી કરી શકો છો. તેની ઉણપ તમારું જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
હકારાત્મક વિચાર
હાર્વર્ડ ટી.એચ. કે શોધકર્તાનાં નેતૃત્વમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો કે ખુશ રહેવા માટે અને આશાવાદી રહેવું ખૂબ જ જરુરી છે. તે તમારી જીંદગીનાં સમયને વધારવા માટે ખૂબ જ મદદ કરી છે. જો તમે તમારા જીવનમાં હકારાત્મક વિચારો રાખો છો તો તમારે આશાવાદી વિચારની સાથે જીવન જીવી શકો છો.