શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે. આજે અહીં તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે આ ફળ
ડાયાબિટીઝના દર્દીઓ ખાસ કરો સેવન
જાણો ફાયદાઓ વિશે
શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ત્યાં જ નિયમિત રીતે ડાયેટમાં શામેલ કરવામાં આવતા અમુક ફૂડ્સ એવા પણ હોય છે જે આપણા શરીરમાં બ્લડ શુગર લેવલને વધારી શકે છે. એવામાં બ્લડ શુગર લેવલ વધારવાની સાથે સાથે ડાયાબિટીઝના ખતરાનું પણ જોખમ રહે છે. માટે આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. આવો જાણીએ તેના વિશે...
બેરીઝ (Berries)
બેરીઝનું સેવન સવારે નાસ્તામાં સૌથી વધારે કરવામાં આવે છે. આ ઉપરાંત તમે તેને રાત્રે સુતી વખતે પણ ખાઈ શકો છો. બેરીઝ શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે પ્રભાવી રૂપથી મદદ કરે છે.
સફરજન (Apple)
કહેવામાં આવે છે કે દરરોજ જો એક સફરજનનું સેવન કરવામાં આવે તો શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રાખવામાં મદદ મળી શકે છે. ત્યાં જ એક સફરજનનું સેવન સવારે કરવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. માટે રોજ એક સફરજનનું સેવન જરૂર કરો.
સંતરા (Orange)
ખાટા ફળોનું સેવન કરવાના કારણે આપણા શરીરની સ્કિન પણ નિખરે છે. તે ઉપરાંત તેમાં હાજર પૌષ્ટિક તત્વ શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. ત્યાં જ સંતરાનું સેવન કરવાના કારણે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
તરબૂચ
દરેક સીઝનમાં સરળતાથી મળતુ આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યાં જ ઘણા લોકો તેનું સેવન નિયમિત રીતે કરે છે. જેના કારણે બોડીને ડિહાઈડ્રેશનના ખતરાથી બચાવી શકાય છે. તે ઉપરાંત શુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ તરબૂચનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.