રસોઈમાં રહેલો અજમો પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડિન અને કેરોટિન હોવાથી તેનું પાણી પીવાથી અનેક રોગોમાં રાહત મળે છે.
રસોઈમાં રહેલો અજમો કરે છે કમાલ
તેનુ પાણી પીવાથી અનેક રોગો થાય છે દૂર
પોષક તત્વોથી ભરપૂર છે અજમો
જો રોજ સવારે અડધી ચમચી અજમાને પાણીમાં ઉકાળીને ગાળીને તે પાણી પીવામાં આવે તો અનેક લાભ થાય છે. આ સાથે અનેક બીમારી પણ ઝડપથી દૂર થઈ જાય છે. જાો કયા રોગોમાં મળે છે મોટો લાભ.
ડાયાબિટિસ
આ રોગના દર્દીઓને માટે અજમાનું પાણી ફાયદો કરે છે. તેને પીવાથી રાહત મળે છે અને ઝડપથી ફેરફાર પણ જોવા મળે છે.
વજન ઘટાડવામાં કરે છે મદદ
સ્થૂળતાથી પરેશાન વ્યક્તિ જો કોઈ પણ કસરત વિના વજન ઓછું કરવા ઈચ્છે છે તો તેને માટે તેઓએ અજમાનું પાણી રોજ સવારે પીવું. તે શરીરના મેટાબોલિઝમને વધારીને વજન ઘટાડે છે.
એસિડિટી
જો તમે રોજ રાતે અજમાને વાટકીમાં પલાળીને રાખી લો છો અને સવારે તેનુ પાણી નયણા કોટે પી લો છો તો તમને એસિડિટીની સમસ્યામાં જલ્દી રાહત મળે છે. આ ઈનડાયજેશનની સમસ્યાને દૂર કરીને એસિડિટીથી રાહત આપે છે.
અસ્થમા
અસ્થમાના દર્દીએ રોજ અજમાનું પાણી પીવું લાભદાયી માનવામાં આવે છે. તેનાથી ધીરે ધીરે બીમારીમાં લાભ જોવા મળે છે. આ સિવાય તે શરદી અને કફની સમસ્યાને પણ દૂર કરે છે.
ખાંસી
જેમને જૂની ખાંસીની ફરિયાદ રહે છે તેઓએ અજમાના પાણીમાં એક ચપટી કાળું મીઠું મિક્સ કરીને પીવું. રોજ આ ઉપાય કરવાથી ખાંસીની સમસ્યા જલ્દી દૂર થાય છે.
માથુ દુઃખવું
જો તમને માથુ દુઃખવાની ફરિયાદ રહે છે તો તમે અજમાનું પાણી બનાવીને પીઓ. એક કપ આ પાણી પીવાથી તમને તરત જ રાહત મળી રહે છે.
દાંતનું દર્દ
અજમાનું પાણી અનેક બીમારીને દૂર કરવાની સાથે સાથે હાડકાને મજબૂત કરવાનું કામ પણ કરે છે. દાંત કે પેઠાના દર્દની સાથે મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય તો આ અજમાના પાણીનું એક અઠવાડિયા સુધી કરાતું સેવન લાભ કરે છે.
કબજિયાત
પેટ સંબંધી કોઈ પણ બીમારીમાં દાદીમાના સમયથી મીઠું અને અજમાની ફાકી લેવાની સલાહ આપવામાં આવે છે. તો તમને પણ કબજિયાતની સમસ્યા છે તો તમે પણ અજમાના પાણીના સેવનથી તેનાથી છૂટકારો મેળવી શકો છો.
ડાયજેશન
અજમાનું પાણી ખાવાનું ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે અને સાથે જ પાચનતંત્રને એક્ટિવ પણ રાખે છે. તમે પેટ સાથે સંબંધી કોઈ પણ સમસ્યામાં અજમો અને કાળા મીઠાનું સેવન કરો છો તો તે લાભદાયી રહે છે.