સુપરફૂડ્સમાં હળદર, મશરૂમ્સ અને બ્લૂબેરી જેવા ફૂડ્સનો સમાવેશ થાય છે. આ ફૂડ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સાથે જ તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે. જેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
કેન્સરના જોખમને ઘટાડે છે આ ફૂડ
આજથી જ ડાયેટમાં શામેલ કરો
જાણો તેના અન્ય ફાયદાઓ વિશે
સ્વસ્થ રહેવા માટે આપણને તંદુરસ્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના મસાલા, ફળો, શાકભાજી અને કઠોળ વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન, મિનરલ અને હેલ્ધી ફેડ હોય છે. તેમાં એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો પણ છે. તેઓ ડાયાબિટીસ અને હૃદય રોગ વગેરે જેવી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવા માટે કામ કરે છે.
તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકવામાં પણ મદદરૂપ છે. કેન્સરની બીમારીથી બચવા માટે તમે ડાયટમાં ઘણા પ્રકારના સુપરફૂડનો સમાવેશ કરી શકો છો. આવો જાણીએ કે કયા સુપરફૂડને તમે ડાયટમાં સામેલ કરી શકો છો.
અળસી
અળસીમાં હેલ્ધી ફેટ હોય છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તે કેન્સર કોષો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. અળસી સ્તન કેન્સર સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તમે તેને શાકભાજી, ઓટ્સ અને દાળ વગેરેમાં પણ સામેલ કરી શકો છો. અળસી પાવડરનું સેવન પણ કરી શકાય છે. અળસી શરીરને બીજા ઘણા ફાયદા પણ આપે છે. તેઓ ઝડપી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
હળદર
હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે. તે ફેફસાં, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ, સ્તન અને ચામડીના કેન્સર માટે જવાબદાર કેન્સર કોષોને અટકાવવાનું કામ કરે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો છે. જે સ્તન કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
બ્લુબેરી
બ્લુબેરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ સ્તન કેન્સરને રોકવામાં મદદ કરે છે. બ્લુબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. બ્લુબેરીમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેઓ કેન્સરને રોકવા માટે કામ કરે છે.
બ્રોકોલી
બ્રોકોલીમાં કેન્સર સામે લડવાના તત્વો હોય છે. તેને ઇન્ડોલ-3-કાર્બીનોલ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્રેસ્ટ ટ્યુમરના કોષોને રોકવામાં મદદ કરે છે. તેથી ડાયેટમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરી શકો છો. તમે તેને શાકભાજી અને સલાડના રૂપમાં ખાઈ શકો છો.
મશરૂમ
મશરૂમ્સમાં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટિવાયરલ ગુણધર્મો છે. તેઓ ઈમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. તેઓ બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક અભ્યાસ અનુસાર મશરૂમ્સના સેવનથી સ્તન કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે. તમે મશરૂમનું સેવન કરી અને સલાડના રૂપમાં કરી શકો છો.