બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો તમે ઊંઘની ગોળી લેતા હોય તો ચેતી જજો, નહીંતર હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે
Last Updated: 08:34 AM, 15 March 2025
આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં અને ખરાબ થતી ખાવા-પીવાની આદતો અને ભવિષ્યને સુધારવાની ચિંતાઓને કારણે ઘણા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણા લોકો ઊંઘની ગોળીઓનો સહારો પણ લે છે. એમ તો આ દવાઓ એક સરળ ઉપાય લાગે છે કે તેને ખાઈને ઊંઘ આવી જાય છે, પરંતુ આ દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે લાંબા ગાળાની ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલા માટે જ નિષ્ણાતો ડોક્ટરોની યોગ્ય સલાહ વિના આ દવાઓનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપે છે.
ADVERTISEMENT
ડોક્ટરોની સલાહ વિના દવા લેવી
ADVERTISEMENT
નિષ્ણાતોએ આવી દવાઓના વ્યાપક દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે 'ઘણા લોકો નિષ્ણાતોની સલાહ લીધા વિના આવી દવાઓનો ઉપયોગ કરે છે. આ દવાઓ કામચલાઉ રાહત આપી શકે છે, પરંતુ આ દવાઓની ઘણી પ્રતિકૂળ અસરો હોય છે.'
'હૃદય અને કિડનીને નુકસાન'
આ દવાઓ મગજથી લઈને હૃદય અને કિડની સુધી શરીરની વિવિધ સિસ્ટમ્સને નુકસાન પહોંચાડી શકે છે. દર વર્ષે વિશ્વ ઊંઘ દિવસ 21 માર્ચ પહેલાના શુક્રવારે (જ્યારે દિવસ અને રાત સમાન હોય છે) ઉજવવામાં આવે છે. વિશ્વ ઊંઘ દિવસની ઉજવણી સારી ઊંઘનું મહત્ત્વ જણાવે છે.
'સારી ઊંઘને પ્રાથમિકતા આપો'
વર્લ્ડ સ્લીપ સોસાયટી દ્વારા વર્ષ 2008થી વિશ્વ ઊંઘ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વ ઊંઘ દિવસનો ઉદ્દેશ્ય સારી ઊંઘના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃતિ લાવવાનો, લોકોને ઊંઘ સંબંધિત વિકૃતિઓ વિશે શિક્ષિત કરવાનો અને સારી ઊંઘની આદતોને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે વિશ્વ ઊંઘ દિવસની થીમ છે - 'સારી ઊંઘને પ્રાથમિકતા આપો'.
લાંબા સમય પછી અસર નથી કરતી દવાઓ
નિષ્ણાતો આ દવાની લાંબા સમયની અસર વિશે ચેતવણી આપતા જણાવે છે કે આવી દવાઓની આડઅસરો શરૂઆતમાં ગંભીર હોતી નથી પરંતુ સમય જતાં આડઅસરો ગંભીર બનવા લાગે છે. નિષ્ણાતોનું કહેવું છે કે 'જ્યારે આપણે આનું સેવન કરીએ છીએ, ત્યારે બીજી સમસ્યા ઊભી થાય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી તેનું સેવન કરીએ છીએ, તો એ પછી તેની વધારે અસર થતી બંધ થઈ જાય છે. તેથી વ્યક્તિ ઊંઘની ગોળીઓ વધુને વધુ માત્રા લેતા રહે છે. અને વધુ માત્રામાં આ ગોળીઓ લેવાથી, આપણને વધુ આડઅસરો થાય છે.'
આ પણ વાંચો: સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય
ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ
નિષ્ણાતો કહે છે કે ઓછી ઊંઘ એ માત્ર એક નાની સમસ્યા નથી, પરંતુ તે હૃદય રોગ, ડાયાબિટીસ અને માનસિક સ્વાસ્થ્ય જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. 'વિશ્વ ઊંઘ દિવસ'નું મહત્ત્વ તેના સંદેશ 'સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી છે' માં રહેલું છે. તે લોકોને ઊંઘને પ્રાથમિકતા આપવા, સારી ઊંઘને દિનચર્યાઓમાં સામેલ કરવા અને ઊંઘની વિકૃતિઓનો સામનો કરવા માટે વ્યાવસાયિક મદદ લેવા પ્રોત્સાહિત કરે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.