સુરતમાં કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરત પહોંચ્યા છે. તેમણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, સુરતમાં 4829 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. જે અંગે શહેરની ખાનગી હોસ્પિટલના તબીબો સાથે આરોગ્ય અગ્ર સચિવે બેઠક કરી હતી. આ બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી સુરતની મુલાકાતે
કોર્પોરેશનના અધિકારીઓ સાથે કરી બેઠક
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગાંધીનગરથી હું સુરત કેટલાક દિવસો માટે આવી છું. સુરતમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેવામાં હવે અહીં સિવિલમાં 72 કલાકમાં ત્રણ માળની મોટી બિલ્ડિંગ (કોવિડ હોસ્પિટલ) બનાવી દેવામાં આવી છે. ઉપરના માણમાં હજુ બેડ કઇ રીતે વધારી શકાય જે અંગે સતીક અને સઘન રીતે કામગીરી થઇ રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, ઘણા દેશો, શહેરો અને અમદાવાદમાં અનુભવ રહ્યો છે કે કોવિડનું સંક્રમણ થાય તેમાં 80 ટકા લોકોમાં ગંભીર પરિસ્થિતિ નથી હોતી. આવા લોકોને ઘરમાં સગવડ હોય, એટેચ બાથરૂમ હોય, 24 કલાક તેમની દેખરેખ રાખી શકે તો તેમને હોમ આઇસોલેશન આપીએ. જેથી દર્દી પોતાના ઘરમાં સારા વાતાવરણમાં રહેતા હોય તો તેઓ ઝડપથી સાજા થઇ જતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
ડૉક્ટરો સાથે યોજાયેલી બેઠક અંગે જયંતિ રવિએ જણાવ્યું કે, સુરતમાં અલગ અલગ હોસ્પિટલના તજજ્ઞો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિની તબિયત બગડે તો કઇ હોસ્પિટલમાં લઇ જવા તેનું પ્લાનિંગ કરવા, સાથો સાથ વેન્ટિલેટર પણ જરૂરિયાત માત્રામાં આપવાની વાત થઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી અને નાયબની અધ્યક્ષતામાં અમારી રોજ કોર કમિટીની બેઠક થાય છે. જેમાં ટોસિલિઝુમેબના 50 હજારથી 70 હજાર સુધીના ઇન્જેક્શન આપવા. સરકાર જેને જરૂર હોય તેને તજવીજ કરીને ખરીદી રહી છે. તેની પણ ચર્ચા કરવામાં આવી તે દવા પણ આપવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, કોવિડ જેવા લક્ષણો હોય તો 104 નંબર પર ફોન કરી શકે છે. સુરતમાં 105 જેટલા ધનવંતરી રથ ફરી રહ્યા છે. ડોર ટુ ડોર કામગીરી, ગવર્મેન્ટ સેક્ટર અને હોટલ સાથે પણ કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા કરાઇ છે. હોસ્પિટલની અંદર ટ્રિટમેન્ટ, પ્રોટોકોલ, 108 દરમિયાન ક્યાં ક્યાં બેડ્સ ઉપલબ્ધ છે આ અંગે અમારી આજની બેઠક થઇ છે.
સુરતમાં કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ?
જયંતિ રવિએ કહ્યું કે, સુરતમાં કોરોનાના કેસ વધવાના અનેક કારણો હોય શકે છે તેનું કોઇ ચોક્કસ કારણ ન જણાવી શકીએ. પરંતુ હિરા ઉદ્યોગ એક કારણ હોઇ શકે છે. જેમાં બેસવાની વ્યવસ્થા કારણ છે. લોકો એકબીજાની નજીક બેસીને હિરા ઘસવાનું કામ કરે છે. તેમાં શક્યતા વધી જાય છે. આજે પણ સિટીના પરિભ્રમણમાં મેં જોયું કે માસ્ક પહેરવાની વ્યવસ્થામાં થોડો સુધારો થયો છે. થુંકવાની પણ કુટેવ હોય છે, સાથો સાથ સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવે, એટલું સંક્રમણ થવાની શક્યતાઓ ઘટી જાય છે. ગીચ વિસ્તાર છે તે ભધા કારણસર બની શકે કે થોડો સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
સુરતમાં કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરત પહોંચ્યા છે. તેમણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી છે. તેમજ સુરતમાં 5 હજાર 200 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. જે અંગે શહેરની ખાનગી હોસ્પિટલના તબીબો સાથે બેઠક ચાલુ છે.@JayantiRavi#Surat#GujaratCoronaUpdatepic.twitter.com/jL6mbwIXKJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 30, 2020
સુરતમાં વેન્ટિલેટરને લઇને જયંતિ રવિએ શું કહ્યું?
સુરતમાં વેન્ટિલેટર 100 જેટલા અહીં પ્રોવાઇડ કરી રહ્યા છીએ. વેન્ટિલેટરની ખાત્રી આપવામાં છીએ કે વેન્ટિલેટરની કોઇ કમી નથી, પ્રાઇવેટ્સ હોસ્પિટલને પણ પ્રોવાઇડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 199 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 183 અને સુરત જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4,829 પર પહોંચ્યો છે.
રાજ્યમાં વધુ 620 કોરોનાના કેસ
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 620 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 32,643 પહોંચ્યો છે. આજે 422 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 20 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1848 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.