કોરોનાના કહેરને લઇને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેની સામે લડવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આ કોરોના વાયરસ મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસના ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 74 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતના 28 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, લોકલ ટ્રાન્સમિશનનો કેસ છે.
સુરતના 28 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટીવ
અત્યાર સુધીમાં કુલ 74 કેસ નોંધાયા છે
60 લોકોની તબિયત હાલમાં સ્થિર છે
જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 1520 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1436 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 74 કેસ પોઝિટિવ આવ્યા છે. જોકે 10 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ છે. રાજ્યમાં કોરોનાના કારણે કુલ 6 લોકોના મોત થયા છે. જ્યારે 60 લોકોની તબિયત હાલ સ્થિર છે. જ્યારે 6 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
સ્પેનના નાગરિકે કહ્યું- જો હું ભારતમાં ન હોત તો સાજો ન થયો હોત
વડોદરામાં 49 વર્ષના કોરોના વાયરસના દર્દીને આજે રજા આપી દેવાઇ છે. દર્દી ઘરે પહોંચતા લોકોએ તાળીઓ વગાડી સ્વાગત કર્યું હતું. સ્પેનથી આવેલા દર્દીએ કહ્યું કે જો હું ભારતમાં ન હોત તો હુ સાજો ન થયો હોત.
જયંતિ રવિએ જણાવ્યું કે, સ્પેનથી આવેલો દર્દી સાજો થયો છે. તેમણે રાજ્યમાં આરોગ્ય સેવાના વખાણ કર્યા છે. 74માંથી માત્ર 2 જ દર્દીઓ વેન્ટિલેટર પર છે. 18078 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.
32 કોરોનાના દર્દી વિદેશથી આવેલાઃ જયંતિ રવિ
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, 32 કેસ આંતરરાષ્ટ્રિય પ્રવાસથી ચેપ લાગ્યો છે જ્યારે 4 આંતર રાજ્યો ટ્રાવેલ્સ હિસ્ટ્રી છે. 38 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. કોરોના વાયરસને લઇને 1100 હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે.
ક્યાં કેટલા દર્દી પોઝિટિવ અને ક્યા કેટલા સાજા થયા?