અનેક વાર એવું બને છે કે તમારી ઊંઘ પૂરી ન થવાના કારણે તમને થાક લાગે છે. આ સમયે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કેટલીક રીતો અપનાવી લેવાથી પણ થાક દૂર થઈ શકે છે.
તમને પણ વારેઘડી લાગે છે થાક
અપનાવો આ અસરકારક નુસખા
કામના છે આ ખાસ ઉપાયો
બીઝી લાઈફસ્ટાઈલમાં શરીરને આરામ મળી રહેતો નથી. એવામાં શરીરમાં થાક અનુભવાય છે. સારી ઊંઘ શરીરના થાકને દૂર કરીને એક સારી હેલ્થ આપે છે. તેનાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે. એક સારી ઊંઘ તમને અનેક સમસ્યામાં રાહત આપે છે. જો તમે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કેટલીક અન્ય રીતો અપનાવો છો તો થાકને દૂર કરી શકાય છે. શરીરમાં થાક લાગે છે તો આ સરળ ઉપાયો તમારી મદદ કરી શકે છે.
નહાવું એ બેસ્ટ ઓપ્શન છે
જો તમને થાક લાગે છે તો તેને દૂર કરવા માટે તમે નહાઈ લો એ સારો ઓપ્શન છે. નહાવાથી શરીરની બહારના રોમછિદ્રો સાફ થાય છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે.
પૂરતું પાણી પીઓ
શરીરમાં પાણીની ખામી રહે તો ડિહાઈડ્રેસનની સમસ્યા આવી શકે છે. તેનાથી શરીરમાં થાક લાગે છે. પાણી શરીર માટે જરૂરી છે. પાણીની ખામી ન રહે તે માટે તમે ડાયટમાં ખાસ ચીજોને ફોલો કરો તે જરૂરી છે.
સૂતા સમયે ન લો ચા કે કોફી
જો તમે ચા પીવાના આદી છો તો તમારે આદત બદલી લેવાની જરૂર છે. સૂતી સમયે ચા, કોફીનું સેવન કરવુ નહીં. તેનાથી બચો. તેનાથી પૂરતી ઊંઘ આવતી નથી અને હેલ્થ પર તેની નકારાત્મક અસર થાય છે.
રોજ રાખો ચાલવાની આદત
દિવસમાં થોડું એટલે કે લગભગ અડધો કલાક ચાલવાની આદત રાખો. તેનાથી પણ તમારો થાક દૂર થશે. જ્યારે થાક લાગે તો થોડું ચાલી આવો. તેનાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ માંસપેશીઓને અને મગજને ઓક્સીજન મળે છે.
આલ્કોહોલથી રહો દૂર
જો તમે ઈચ્છો છો કે તેમને સારી ઊંઘ આવે તો તેને માટે સાંજનો સમયે આલ્કોહોલ લેવાનું ટાળો. આ સાથે ધ્યાન રાખો કે આલ્કોહોલનું સેવન દિવસમાં 2 ગ્લાસથી વધારે ન કરાય.