જો તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે અને તમને સામાન્ય લક્ષણો છે તો તમે ઘરે બેઠા કેટલાક ખાસ ઉપાયો કરીને તેનાથી રાહત મેળવી શકો છો. જાણો શું કરશો...
ઘરે બેઠા કોરોનાને દૂર કરો
સામાન્ય લક્ષણો હોય તો આ રીતે કરો ટ્રીટમેન્ટ
જાણો સામાન્ય લક્ષણોમાં શું કરવું અને મળશે મદદ
દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોના વાયરસના કારણે અનેક લોકો પોતાનો જીવ ખોવી ચૂક્યા છે. જો કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે તો તમે તેના માટે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકો છો. તેનાથી તમને મદદ મળી રહે છે અને ઈમ્યુન સિસ્ટમ કાર્યરત રહેતા રિકવરીને મદદ કરે છે.
વેક્સીન લીધા બાદ લોકો ખાસ કરીને બેદરકારી દાખવતા જોવા મળે છે. પણ સાચી વાત એ છે કે હજુ પણ લોકોમાં ખાંસી, તાવ અને શરદીના લક્ષણો જોવા મળી રહ્યા છે.
આ ઘરેલૂ ઉપાયો અપનાવી લેવા જરૂરી છે
ઉકાળો પીવાનું રાખવું
જો કોઈ ને સામાન્ય ખાંસી કે તાવ આવે તો તરત ઉકાળો પીવાનું શરૂ કરી લેવું.
ઉકાળો બનાવવા માટે પાણીમાં આદુનો ટુકડો નાંખો અને પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં તુલસીના પાન નાંખો અને આ ઉકાળો દિવસમાં 3-4 વાર પીઓ.
તાજો ખોરાક ખાઓ
જો તમને ખાંસી, તાવ, થાક અનુભવાય છે તો તમે તાજુ અને ગરમ ભોજન ખાઓ.
લંચમાં મીઠા વિનાનું અને મગની દાળના સૂપનો પ્રયોગ કરો.
જરૂર કરતા વધારે ખાવાનું ખાઓ.
દરેક ભોજન બાદ પેટ અડધું ખાલી રાખો.
કોરોનાના લક્ષણથી બચવા શક્ય હોય તો સાંજે 7 વાગ્યા પહેલા ભોજન કરવું. તેનાથી રિકવરી વધે છે.
આ મસાલાનું કરો સેવન
જો તમને ક્યારેય તાવ, થાક, શરદી, ખાંસી થાય તો તમે વિચાર્યા વિના ભોજનમાં તજ, કાળા મરી, એલચી અને લવિંગનું સેવન શરૂ કરો.
ભોજનમાં હળદર પાવડર અને આદુને મિક્સ કરીને લેવાથી આરામ મળશે. શરદી અને ખાંસી દૂર થશે.
આયુર્વેદિક ગુણના કારણે આ મસાલામાં કોરોનાના સામાન્ય લક્ષણોને દૂર કરવાની ક્ષમતા છે.
આ શાકનું કરો સેવન
સામાન્ય તાવ કે ખાંસી હોય તો શાક ખાવાનું શરૂ કરો.
ધ્યાન રાખો કે શાક સારી રીતે ચઢી ચૂક્યા હોય.
કાચા સલાડ અને કેટલાક શાક જેમકે દૂધી અને કારેલા ખાવાનું શરૂ કરો.