જો તમે પણ રસોઈમાં મેંદાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરો છો તો તેનાથી હેલ્થને વધારે નુકસાન થઈ શકે છે.
મેંદાનો ઉપયોગ કરતા હોવ તો થઈ જાઓ એલર્ટ
વધારે પડતા ઉપયોગથી સ્વાસ્થ્યને થાય છે મોટું નુકસાન
જાણો કેવી રીતે બનાવાય છે મેંદો
શહેરની ભાગદોડની લાઇફમાં સવારના નાસ્તામાં બ્રેડ સામાન્ય બન્યા છે. લોકો દિવસની શરૂઆત બ્રેડ સાથે કરે છે. આ સિવાય મેંદાના પરાઠા, પૂરી, કુલ્ચા, નાનનો ઉપયોગ કરવાની સાથે મોમોઝ, બિસ્કિટ, પિત્ઝા, બર્ગરનો ક્રેઝ જોવા મળે છે. તેમાં રહેલો મેંદો તમારા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તો જાણો તમારે ભોજનમાં શું લેવું અને શું નહીં. તેની તમારા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.
આ કારણે નુકસાન કરે છે મેંદો
લોટ અને મેંદો બંને ઘઉંના લોટથી બને છે પણ બંનેને બનાવવાની રીત અલગ હોય છે. લોટ બનાવતી સમયે ઘઉંના ઉપરના છોતરાને કાઢવામાં આવતું નથી. તે એક ડાયટરી ફાઈબર હોય છે. શરીરના જરૂરી તત્વો તેમાં હોય છે. જ્યારે મેંદો બનાવવાની પ્રક્રિયામાં લોટને વધારે બારીક પીસવામાં આવે છે અને તેના ફાઈબરને હટાવી દેવાય છે. તેનાથી પોષક અને ડાયટરી તત્વો તેમાં રહેતા નથી.
આંતરડામાંથી સરળતાથી નીકળતો નથી મેંદો
ડાયટરી ફાઈબરના અભાવમાં મેંદો ચિકણો અને બારીક બને છે. તેનાથી તે આંતરડામાં ચોંટી જાય છે અને સાથે કબજિયાતની સમસ્યા રહે છે. આ સિવાય ઈનડાયજેશનનું કારણ પણ બની શકે છે.
કોલેસ્ટ્રોલને વધારે છે
મેંદામાં વધારે પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે. તેના સેવનથી સ્થૂળતાના વધવાની સંભાવના રહે છે. ધીરે ધીરે કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઈગ્લીસરાઈઝ્ડનું લેવલ પણ વધે છે. એવામાં જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો અને કોલેસ્ટ્રોલનું લેવલ વધારવા ઈચ્છતા નથી તો મેંદો ખાવાથી બચવું.