કોરોનામાં વધારે પડતા ઉકાળાનું સેવન કરનારાને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અનેક રાજ્યોમાં કિડની અને લીવરની બીમારીના દર્દી વધી રહ્યા છે.
અનેક રાજ્યોમાં નવી બીમારીનો વધ્યો ખતરો
કોરોનાનાં ડરથી આડેધડ પિતા હતા ઉકાળા
કીડની અને લીવરની બીમારી વધી
કોરોનાના કારણે અનેક લોકોએ વધારે ઉકાળો પીવાનું શરૂ કર્યું હતું. જે નુકસાનદાયી સાબિત થયું છે. દેશમાં અનેક રાજ્યોમાં ઓપીડીમાં કિડની અને લીવરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં કિડનીના દર્દીની સંખ્યા વધી રહી છે. દેશની મોટી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા ચિંતા વધી રહી છે.
ઉકાળાના વધારે પડતા સેવનથી બની આ સ્થિતિ
કોરોનાના કહેર અને તેના ડરને ધ્યાનમાં રાખીને ઉકાળાનું સેવન લોકો વધારે પ્રમાણમાં કરી રહ્યા હતા. પરંતુ વધારે પ્રમાણમાં ઉકાળા પીવાથી શરીરને નુકસાન થાય છે. ડોક્ટર્સ પણ કોરોનાથી બચવા માટે વધારે પ્રમાણમાં પીવાતા ઉકાળાને લઈને સાવધાની રાખવા કહે છે.
કિડનીની બીમારી વધારવામાં કરે છે મદદ
ડોક્ટર્સના આધારે કારણ વિના ઈમ્યુનિટી બૂસ્ટ કરવાથી શરીરમાં દર્દ અને બેચેનીની ફરિયાદ કરનારા દર્દીની સંખ્યા વધી છે. સીરમ ક્રિએટનિનનું લેવલ વધવાથી કિડની ડેમેજ થવા લાગી છે. ઉકાળો ગરમ હોય છે અને તેને વધારે પ્રમાણમાં પીવાથી મોઢા અને પેટમાં ચાંદા પડવાની સમસ્યા રહે છે. ઉકાળામાં તજ, ગિલોય અને કાળા મરી જેવી ચીજોનો ઓવરડોઝ થવાથી પેટમાં દર્દ, છાતીમાં બળતરા કે એસિડિટીની ફરિયાદ રહે છે. સમયસર તેની સારવાર ન કરાય તો ડેમેજ થવાની સંભાવના વધી જાય છે. લીવર માટે પણ ઉકાળાનું વધારે પડતું સેવન નુકસાનદાયી છે.
વધારે પ્રમાણમાં ઉકાળો પીવાની આ છે સાઈડ ઈફેક્ટ
ડોક્ટરના આધારે વધારે પ્રમાણમાં ઉકાળો પીવાથી નાકથી લોહી આવવું, ખાટા ઓડકાર આવવા, યૂરિનમાં સમસ્યા આવવાની સમસ્યા રહે છે. ખાસ કરીને યૂરિનમાં ઈન્ફેક્શન આવતા પહેલા કિડની સંક્રમિત થવાનો ખતરો પણ વધે છે. જે લોકો પહેલાથી હાર્ટ સંબંધિત બીમારી ધરાવે છે અને લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છે તેઓ વધારે ઉકાળાના સેવથી ઈન્ટરનલ બ્લિડિંગનો ખતરો ધરાવે છે.
આ રાજ્યોમાં વધી રહ્યા છે કેસ
દિલ્હી એનસીઆર સહિત અનેક મોટી હોસ્પિટલોમાં મેડિસિન ઓપીડીમાં સારવાર માટે આવી પહેલા દર્દીના કાઉન્સેલિંગમાં કોરોનાથી બચવામાં ઉકાળાની જરૂરિયાત ગણાવાઈ હતી. આ કારણે દર્દી જો કિડનીની બીમારીની સાથે સાથે કોરોના સંક્રમિત થાય છે તો તેની પર પણ ખતરો વધે છે. ડોક્ટરના કાઉન્સિલિંગમાં જાણકારી મળી છે કે જે કેસ આવી રહ્યા છે તેમાંથી 90 ટકા દર્દીઓએ ડોક્ટરની સલાહ વિના જ ઉકાળાનું સેવન કર્યું હતું.