જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેઓ નવ દિવસના ઉપવાસ રાખી શકે છે. આ નવ દિવસમાં માં દુર્ગા પ્રત્યે માત્ર આસ્થા જ વધતી નથી, પરંતુ વ્રત રાખવાથી શરીરની ઘણી સમસ્યાઓ ઘટી શકે છે.
નવરાત્રીમાં નવ દિવસ કરો માં દુર્ગાની ઉપાસના
શરીરને એનર્જેટીક રાખવા કરો આ ઉપાય
આ વસ્તુઓનો તમારા ડાયટમાં કરો સમાવેશ
શરીરને ભરપૂર એનર્જી આપે એવી વસ્તુઓનો ડાયટમાં સમાવેશ કરો
નવરાત્રીની શરૂઆત થવાની છે અને ઘણા લોકો શરીરને ડિટૉક્સ કરવાનો વિચાર કરી રહ્યાં હશે. શરીરને ડિટૉક્સ કરવા માટે વ્રત રાખવુ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તો તેઓ નવ દિવસના ઉપવાસ રાખી શકે છે. આ નવ દિવસમાં માં દુર્ગા પ્રત્યે આસ્થા રાખવાથી શરીરની અનેક સમસ્યાઓ ઘટી જાય છે. આ નવ દિવસનો ફાસ્ટ રાખવાનો અર્થ એ નથી કે શરીરને ભૂખ્યુ રાખવામાં આવે. પરંતુ ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ કે જે શરીરને ભરપૂર એનર્જી આપી શકે. આ સાથે ફેટને બર્ન કરી શકે. આવો જાણીએ, નોરતામાં કેવો હોવો જોઈએ એનર્જેટીક ડાયટ પ્લાન
નાશ્તાથી કરો શરૂઆત
નોરતામાં શરીરને શક્તિ આપવા માટે સૌથી પહેલા મીલ બ્રેકફાસ્ટ એટલેકે નાશ્તો પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. હેલ્થશોટ્સ મુજબ, નાશ્તામાં મિલ્ક શેકનુ સેવન કરી શકાય છે. નવ દિવસના હિસાબે દરરોજ એક ફ્રૂટ જેમ કે કેળુ અને સફરજનનો મિલ્ક શેક પી શકો છો. જેને વધુ પૌષ્ટિક બનાવવા માટે ચિયા સિડ્સ અને નટ્સનો સમાવેશ કરી શકાય છે. આ સાથે ઈચ્છો તો મખાને ખાઈ શકો છો.
બપોરનુ ભોજન
બપોરનુ ભોજન પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોવુ જોઈએ. નવરાત્રીમાં બપોરના ભોજનમાં પનીર, પાલક, બટાકા, ટામેટા અને લૌકીની સ્ટર ફ્રાય શાકભાજી ખાઈ શકો છો. આ ઉપરાંત ફળોનો રાયતા, સમક ચોખા, સલાડ, બેક્ડ સાબુદાણા ટિક્કી અથવા શાકભાજી અને રોટલીની પસંદગી કરી શકો છો. જેને સ્વાદિષ્ટ બનાવવા માટે લીલા મરચા અને કાળા મરચાનો વઘાર કરીને ખાઈ શકો છો. આ સાથે ફળનુ જ્યુસ પણ પી શકો છો.