આર્ટિફિશિયલ સ્વીટનરના ઉપયોગથી પાચન તંત્ર પણ ખરાબ અસર પડે છે, એનાથી ભૂખ ઓછી થઇ જાય છે. કેનેડાની એક યૂનિવર્સિટીના રિસર્ચ પ્રમાણએ શુગર ફ્રીના ઉપયોગથી દિલની બિમારીનું જોખમ રહે છે.
શુગર ફ્રી ખાદ્ય પદાર્થમાં કેટલું સત્ય અને ખોટું છે એ વાતથી ઘણા બધા લોકો અજાણ છે. ખાસ કરીને ડાયાબિટીસ અને મેદસ્વિતા ગ્રસ્ત લોકો શુગર ફ્રી પર વધારે ધ્યાન આપે છે. જો તમે પણ આ યાદીમાં આવો છો અને ખાંડની જગ્યાએ શુગર ફ્રી ટેબલેટ્સનો ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાવ.
શુગર ફ્રી ગોળીઓ તમને ડાયાબિટીસથી બચાવવાની જગ્યાએ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. કદાચ જ તમે જાણતા હશો કે ખાવામાં મીઠાશ રાખવા માટે ઉપયોગમાં લેવાતી આ નકલી મીઠી ગોળીઓ તમને ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધી રોગ આપી શકે છે.
એક સંશોધનમાં જાણવા મળ્યું કે આ નકલી ગળી ગોળીઓ લોકોના પાચનતંત્ર પર ખરાબ અસર કરી રહી છે. એનો ઉપયોગ કરવાથી વ્યક્તિને ભૂખ લાગતી નથી. શોધકર્તા અનુસાર લોકોને લાગે છે કે જો એ ખાંડની જગ્યાએ એનો ઉપયોગ કરશે તો એ વધારે સ્વસ્થ રહેશે એ ભ્રમ છે.
જો તમને ડાયાબિટીસની સાથે હાઇ બ્લડ પ્રેશર છે તો એનો ઉપયોગ પોતાની જવાબદારી પર કરો. આ મીઠી ગોળીઓ પોતાનું બ્લડ પ્રેશર વધારી શકે છે.
એને બનાવતી વખતે ઉપયોગમાં લેવાતા પદાર્થ સેક્રિનથી તમને કેન્સરનું જોખમ થઇ શકે છે. શુગર ફ્રી ગોળીઓના ઉપયોગથી તમારી ભૂખ પર ગંભીર અસર પડે છે. જેના કારણે તમારા શરીરમાં કેલેરીના પ્રમાણની ખામી આવી શકે છે તો તમને કમજોરી પણ આવી શકે છે.
વધારે પડતી શુગર ફ્રી ગોળીઓ તમારી આંખો પર પણ અસર કરે છે. એનો પ્રયોગ તમારી આંખોની રોશનીને ઓછી કરી શકે છે.