પ્રેસ કોનફેરન્સમાં કહ્યું કે તમને કોરોનાના લક્ષણ જણાય તો તરત જ પોતાને બીજાથી અલગ કરી દેવા જોઈએ. અને તરત જ કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ.તેવામાં જો કોરોના ટેસ્ટ નું પરિણામ આવવામાં સમય લાગે તેવુ હોય તો તમારે કોરોના સંક્રમિત સમજીને સારવાર શરૂ કરી દેવી જોઈએ.
કોરોનાના લક્ષણો દેખાય તો દર્દીની સારવાર ઘરે રહીને કેવી રીતે કરવી?
દેશમાં વધતાં સંક્રમણની સાથે આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ પ્રેસ કોનફેરન્સ યોજી હતી
કોરોના સંક્રમિત દર્દીને રાતે સૂતા સમયે ઉંધા સુવાનું
દેશમાં વધતાં સંક્રમણની સાથે આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ પ્રેસ કોનફેરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોનફેરન્સમાં રાજ્યોમાં વધતાં સંક્રમણને લઈને વિચારણા કરવામાં આવી હતી. અત્યારના સમયમાં કોરોનાના દર્દીની ઘરમાં સારવાર કેવી રીતે કરવી તેના પર જણાવામાં આવ્યું હતું કે અત્યારના સમયમાં તમને શરૂઆતમાં તાવ આવવો , ગાળામાં દુખાવો , સ્વાસ લેવામાં તકલીફ હોય તો તમે કોરોના સંક્રમિત સમજીને સારવાર શરૂ કરી શકો છો.
વધુમાં કહ્યું કે આ લક્ષણો સિવાય પણ બીજા બે લક્ષણો છે જેવા કે સૂંઘવાની ક્ષમતા અને સ્વાદ આવવાનું બંધ થઈ જવું આ પણ કોરોના સંક્રમિત હોવાના લક્ષણો હોઇ શકે છે. એવામાં જો આપનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી સારવાર લેવી જોઈએ .
જો તમને કોરોનાના લક્ષણ હોય અથવા તો સંક્રમિત હોવ તો તમારે ઘરમા જ રહેવું જોઈએ અથવા તો સરકાર દ્વારા શરૂ કરેલ કોવિડ હોસ્પિટલમાં પણ જઈ શકો છો. તેની સાથે પોતાની આસપાસ માં સફાઇનું ધ્યાન પણ રાખવું ખૂબ જરૂરી છે. હોમકોરોનટાઈનના સમયમાં અલગ રેહવું ખૂબ જ જરૂરી છે. હોમકોરોનટાઈનના સમય પર ઘરના દરેક સભ્યોએ માસ્ક પેહરવું ખૂબ જ જરૂરી છે.
સંક્રમિત વ્યક્તિએ સર્જીકલ માસ્ક અથવા N95 માસ્ક પેહરે તો વધારે સારું રહે છે .
પ્રેસ કોનફેરન્સમાં કહ્યું કે હોમ આઇસોલેશનના સમયમા હવાની અવર જવર વાળી જગ્યા હોવી જોઈએ , અને પોતાનું તાપમાન માપતા રેહવું જોઈએ. તમે તાવ માટે પેરાસીટામોલ લઈ શકો છો. જો ઑક્સીજન 93 થી ઓછું+ આવે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સારવાર:
જો તમે કોરોના સંક્રમિત હોવ તો તમારે એ વાત પર ધ્યાન આપવું કે તમારે પ્રવાહી જ લેવાનું છે , જેમ કે પાણી , લસ્સી , વગેરે અને રાતે સૂતા સમય પર તમારે ઉંધા સુવાનું છે. તાવ માટે દવા લો અને જો ખાંસી હોય તો એના માટે ડોક્ટરની સલાહ લઈને સિરપ લેવી જોઈએ સાથે જ મલ્ટિવિટામિન પણ લઈ શકો છો અને નાશ પણ લઈ શકો છો.