દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ સમયાંતરે કોરોના સામે લડવાની રણનીતિમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારે આ તમામ વચ્ચે વર્કપ્લેસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
કોરોના વાયરસે દેશમાં મચાવ્યો હાહાકાર
ઓફિસમાં એક-બે કેસ નોંધાય તો સમગ્ર ઓફિસ બંધ કરવાની જરૂર નથી
નવી ગાઇડલાઇન પ્રમાણે કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોઇપણ ઓફિસમાં અચાનક કેટલાય મામલા સામે આવે છે. ત્યારે આ ઓફિસને 48 કલાક માટે બંધ કરવામાં આવે છે. આ દરમિયાન તમામ વ્યક્તિએ ઘરેથી જ કામ કરવાનું હોય છે.
નવી ગાઇડલાઇન થઇ જાહેર
ગાઇડલાઇન્સમા કહેવામાં આવ્યું છે કે, જો કોઇ ઓફિસમાં કેટલાય કેસ આવ્યા બાદ તે ક્લસ્ટર બની શકે છે, કારણ કે, ઓફિસ બંધ રહે છે તો એ ખતરનાક સાબિત થઇ શકે છે. જો કોઇ ઓફિસના કોઇપમ સ્ટાફને તાવ, ઇન્ફેક્શન જેવું મહેસૂસ થાય છે તો તેણે ઘરે રહેવું જોઇએ અને ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
ઓફિસ કર્મીને વર્ક ફ્રોમ હોમ આપવું જરૂરી છે
તો ઓફિસનો કોઇપણ સ્ટાફ પણ કન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે તેમને વર્ક ફ્રોમ કરવાની મંજૂરી આપવી જોઇએ. આ સિવાય તમામ ઓફિસને વર્ચ્યુઅલ મીટિંગ પર ભાર મુકવો જોઇએ. ગાઇડલાઇન્સ પ્રમાણે, ઓફિસનો વિસ્તાર નાનો હોય છે અને મોટા ભાગના લોકોનો આસપાસ બેસતા હોવાથી વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે. માટે સેનેટાઇઝર સહિત નવા નિયમોનું પાલન કરવું જોઇએ.
તાત્કાલિક કરાવવો જોઇએ રિપોર્ટ
આપને જણાવી દઇએ કે, જો કોઇ ઓફિસમાં કોરોનાનો કેસ આવે તો તરત રિપોર્ટ કરાવવો જરૂરી છે. કેમ કે, તેના ફેલાવાથી તેને રોકી શકાય છે.