તહેવારો સમયે કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક SOP જાહેર કરી છે. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા લોકોને તહેવાર સમયે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનની બહાર ઉત્સવ- તહેવારોના કાર્યક્રમ, સમારોહ આયોજિત કરવાની અનુમતિ અપાશે. કન્ટેનમેન્ટ ઝોનના આયોજકો, કર્મચારીઓ અને મહેમાનોને તેમાં સામેલ થવાની મંજૂરી નથી. આ ઝોનમાં રહેનારા લોકોએ પણ ઘરમાં જ તહેવાર મનાવવાનો રહેશે.
કેન્દ્રની નવી ગાઈડલાઈન થઈ જાહેર
તહેવારમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સમારોહ નહીં યોજાય
તહેવારમાં આ ઝોનના લોકો ઘરમાં જ તહેવાર મનાવશે
સરકારની ગાઈડલાઈનમાં એમ પણ કહેવાયું છે કે તહેવારોની સાથે જોડાયેલા મેળા, રેલીઓ, પ્રદર્શનો અને સાંસ્કૃતિક સમારોહ, જુલૂસ, કોન્સર્ટ વગેરે આયોજકો સમારોહ સ્થળ પર સ્થાનની ઓળખ કરવા, થર્મલ સ્ક્રીનીંગ, સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝેશન વગેરે ઉપાયોનું પાલન કરવા માટે યોજના તૈયાર કરશે. નિયમમાં એમ પણ કહેવાયું છે કે અનેક દિવસ સુધી ચાલનારા સમારોહ સમયે પીક અવર્સ કે ખાસ દિવસોએ આયોજકોએ વારંવાર સેનેટાઈઝેશન કરવું અને ભીડને નિયંત્રિત કરીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પ્રયાસ કરવો.
માસ્ક પહેરવું અનિવાર્ય
રેલીઓ અને વિસર્જન જૂલૂસમાં લોકોની સંખ્યા નક્કી સંખ્યાથી વધારે ન હોવી જોઈએ. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. એટલું જ નહીં લાંબી રેલીઓ અને જૂલૂસમાં એમ્બ્યુલન્સની સુવિધા પણ હોવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે લાંબા અંતરે ફેલાયેલી રેલી અને જૂલૂસ જેવા કાર્યક્રમ માટે એમ્બ્યુલન્સની સેવાઓનું સમર્થન જરૂરી છે.
કેન્દ્રએ કહ્યું કે લોકોની સંખ્યા ઘટાડવા અને પ્રવેશ પર પ્રતિબંધ માટે વિચાર કરાઈ રહ્યો છે. થર્મલ સ્કેનિંગ, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાને સુનિશ્ચિત કરવા માટે સ્વયંસેવકોની હાજરી પૂરતા પ્રમાણમાં હોવી જોઈશે. રંગમંત અને સિનેમા કલાકારોને માટે જાહેર કરાયેલા નિયમો મંચના કલાકારોને પણ લાગૂ થશે.