દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે કોરોના ટેસ્ટિંગમાં પણ મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સારી વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસથી અંદાજિત સાડા ત્રણ ગણા વધુ લોકો કોરોનાથી રિકવર થઇ ચૂક્યા છે. દેશના 62% એક્ટિવ કેસ માત્ર 5 રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં કોરોનાનો સૌથી વધુ માર પડ્યો છે. કુલ એક્ટિવ કેસોના 25 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રના છે.
કોરોના સ્થિતિ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
કોરોના ટેસ્ટિંગમાં પણ મોટા પ્રમાણમાં વધારો કરાયો
કુલ એક્ટિવ કેસોના 25 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રના
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, દેશમાં રિકવર કેસોની સંખ્યા આ સમયે 29.70 લાખથી વધુ છે જે એક્ટિવ કેસોની તુલનામાં 3.5 ગણી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે ગત 24 કલાકમાં 11 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, કુલ કોરોના ટેસ્ટિંગની સંખ્યા સાડા ચાર કરોડથી વધુ થઇ ચૂકી છે. ત્યારે એક દિવસમાં 68,584 દર્દીઓ રિકવર થયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે, દેશમાં કુલ એક્ટિવ કેસોમાં 62% માત્ર 5 રાજ્યોમાંથી છે. આ રાજ્ય તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર છે.
70% મોત માત્ર આ 5 રાજ્યોમાં
ભૂષણે જણાવ્યું કે, દેશમાં કોરોનાના કારણે થયેલા કુલ મોતોના 70% દર્દી આંધ્રપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રથી હતા. ત્યારે વાત કરીએ અઠવાડિયાના એક્ટિવ કેસોમાં ઘટાડો આવ્યો તો આંધ્રપ્રદેશમાં 13.7%, કર્ણાટકમાં 16.1%, મહારાષ્ટ્રમાં 6.8%ની અછત અને તામિલનાડુમાં 23.9% અને ઉત્તરપ્રદેશમાં 17.1%ની અછત આવી છે.
More than 11 lakh #COVID19 tests have been done in the last 24 hours. Single-day highest recovery of 68,584 has been recorded yesterday: Secretary, Union Health Ministry pic.twitter.com/bvus0ku5Tq
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, રોજ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ કુલ જનસંખ્યાના સંદર્ભમાં જોવા પડશે. સરકારે અર્થવ્યવસ્થાને ખોલવાનો એક વર્ગીકૃત રસ્તો અપનાવ્યો છે, જેમાં જરૂરી ટેસ્ટિંગ કેપેસિટી, ક્લિનિકલ ટ્રીટમેન્ટ પ્રોટોકેલના સ્પષ્ટ દિશાનિર્દેશ અને હોસ્પિટલના પાયા કામને વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભૂષણે કહ્યું કે, જો લોકો ગ્રુપમાં સાઇકલિંગ કરી રહ્યા છે, રનિંગ કે જૉગિંગ કરી રહ્યા છે તો તેમણે માસ્ક પહેરવું જોઇએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ.
ભારતમાં કોરોના ડેથ રેડ સૌથી ઓછો
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં પ્રતિ મિલિયન કોરોના પોઝિટિવ કેસ બહુ ઓછા છે. ભારતમાં પ્રતિ મિનિયન(જનસંખ્યા) મોતો પણ દુનિયામાં સૌથી ઓછા છે. ભારતમાં પ્રતિ 10 લાખ લોકો પર 49 લોકોના મોત થઇ રહ્યા છે.