દેશમાં કોરોના ચેપની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગની એજન્સીઓનું અનુમાન છે કે, આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ થઈ શકે છે.
દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
કોરોનાના કેસોને લઈને ICMRના વૈજ્ઞાનિકે આપી ચેતવણી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને આપ્યો આ નિર્દેશ
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં જે રીતે 81 હજારથી વધુ કેસ નોંધાયા છે તેનાથી ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સહિત અન્ય એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોને મહત્તમ પરીક્ષણ અને સ્ક્રિનિંગ તેમજ સંપર્ક ટ્રેસિંગની સાથે જ રસીકરણ વધારવા નિર્દેશ આપ્યો છે.
વધુ સતર્ક રહેવાની જરૂર
ગયા વર્ષે, દેશમાં કોરોના કેસ 1 ઓક્ટોબરના રોજ વધીને 81 હજારથી વધુ થયા છે. તેના પછી કેસ વધ્યા પણ એક દિવસમાં એકીસાથે એક લાખથી વધુ કેસ ક્યારેય આવ્યા નહીં અને તે પછી થોડા દિવસો પછી કેસ ઘટવા લાગ્યા. પરંતુ આ વખતે જે રીતે કેસ વધી રહ્યા છે, આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો છે કે દૈનિક કેસોની સંખ્યા એકલાખથી પણ વધુ વધી શકે છે.
ICMR વૈજ્ઞાનિક ડો.સમીરન પાંડા કહે છે કે લોકોને આ સમયે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. કારણ કે આ વાયરસ જોખમી સ્વરૂપ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે નવા કેસ બહાર આવી રહ્યા છે, તે કહેવું મુશ્કેલ નથી કે, દૈનિક પોઝિટિવ કેસ આવતા થોડા અઠવાડિયામાં એક લાખનો આંકડો પાર કરી જશે, આના માટે લોકોની લાપરવાહી પણ એક કારણ હોઇ શકે છે.
પાંચ રાજ્યમાં 80 ટકા દર્દીઓ
સમગ્ર દેશમાં જે રીતે કોરોના સંક્રમણની સંખ્યા વધી રહી છે, દર્દીઓમાં આશરે 80 ટકા સંખ્યા પાંચ રાજ્યોના છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR ના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં હાલમાં સૌથી વધુ કોરોના 62 ટકા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ફરી એકવાર કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ તમામ રાજ્યોને મહત્તમ તકેદારી જાળવવા કહેવામાં આવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલમાં દેશમાં એક કરોડ 23 લાખથી વધુ લોકોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે. દેશમાં એક કરોડ 1.5 કરોડથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.કોરોનાથી અત્યાર સુધીમાં એક લાખ 63 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રસીકરણની બાબતમાં દેશમાં અત્યાર સુધીમાં લગભગ સાત કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.