કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સલાહ અપાઈ છે તેમ જ ઑનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે. મંત્રાલયે કહ્યું છે કે સામાજિક અંતરને વધારવા માટે માટે સાર્વજનિક પરિવહન હેઠળની બસો, ટ્રેન અને વિમાનોથી બિનજરૂરી યાત્રા ટાળવી જોઈએ.
31 માર્ચ સુધી સ્વિમિંગ પૂલ, મૉલ, સ્કૂલને બંધ કરવા સરકારનો મોટો નિર્ણય
કર્મચારીઓને ઘરેથી કામ કરવાની અનુમતિ
સાર્વજનિક પરિવહનનો ઓછો ઉપયોગ
દેશભરમાં કોરોના વાયરસના વધતા કિસ્સાઓને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે (Ministry of Health) મંગળવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સરકાર દ્વારા લેવાયેલા પગલાઓની જાણકારી અપાઈ હતી. સાથે જ દેશવાસીઓને આ વાયરસથી બચવા માટે સચેત કરાયા હતાં. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવાયું હતું કે મંત્રીમંડળની બેઠક બાદ સરકારે સામાજિકરૂપે અંતર બનાવી રાખવાના ઉપાય 31 માર્ચ સુધી લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
Lav Aggarwal, Joint Secretary, Union Health Ministry on #Coronavirus: Important measures including closing of schools, swimming pools, malls, allow employees to work from home,less use of public transport, 1 meter distance between people should be maintained till 31st March. pic.twitter.com/Bk08PfhvHZ
સરકાર તરફથી કહેવાયું છે કે 31 માર્ચ સુધી સ્વિમિંગ પૂલ, મૉલ, સ્કૂલને બંધ કરવા, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની અનુમતિ, સાર્વજનિક પરિવહનનો ઓછો ઉપયોગ, લોકોની વચ્ચે 1 મીટરનું અંતર બનાવી રાખવા જેવા ઉપાયો પર ધ્યાન આપવું જોઈએ. મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સલાહ અપાઈ ચે તેમ જ ઑનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે. મંત્રાલયે કહ્યું છે કે સામાજિક અંતરને વધારવા માટે માટે સાર્વજનિક પરિવહન હેઠળની બસો, ટ્રેન અને વિમાનોથી બિનજરૂરી યાત્રા ટાળવી જોઈએ.
અત્યાર સુધી ભારતમાં 114 કેસ
સરકાર તરફથી કહેવાયું છે કે કોરોના વાયરસના ચાર નવા મામલા ઓરિસ્સા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને કેરળમાં સામે આવ્યાં છે. ભારતામં અત્યાર સુધી કુલ 114 કેસની પુષ્ટિ કરાઈ છે. જેમાં 13 ઠીક થઈ ચૂક્યાં છે અને 2ની મોત થઈ છે.
આ દેશો પર લગાવાયો પ્રતિબંધ
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ઈરાનથી 53 લોકોની ચોથી બૅચ સોમવારે ભારત લવાઈ છે. આ તમામને જેસલમેરના આર્મી ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન કરાયા છે. જે લોકોને આજે પરત લવાયા છે તેમાં કોઈને પણ હાલ કોરોનાના પ્રારંભિક લક્ષણ દેખાયા નથી અને તેમને નક્કી કરેલા પ્રોટોકોલ હેઠળ રખાયા છે. તેમણે જણાવ્યું કે યુરોપીય સંઘ, તુર્કી અને યુનાઈટેડ કિંગડમના યાત્રિઓને 18 માર્ચ 2020થી પ્રતિબંધિક કરવામાં આવશે. તેના પર બાદમાં સમીક્ષા કરાશે.
કેન્દ્ર સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
કોરોના વાયરસને લઇને કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જેમાં ગુજરાતમાં હેલ્પ લાઇન નંબર 104 પર કોલ કરીને માહિતી કે મદદ લઇ શકાશે.