રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા છે રાજ્યમાં ફરી કોરોના કેસમાં વધારો થતા રાત્રિ કર્ફ્યૂને લઈને આરોગ્યમંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
વધતા કોરોના કેસ અંગે આરોગ્યમંત્રીનુ નિવેદન
રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી
આરોગ્યમંત્રી રાજ્યમાં કેસ વધ્યાનો કર્યો સ્વીકાર
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં સતત પાંચમીવાર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે અને 28ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીનું નાઈટ કર્ફ્યૂ ને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી: આરોગ્યમંત્રી
આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે કોરોના કેસ નિશ્વિત પણે વધી રહ્યા છે પરતું હાલ રાત્રિ કરફ્યુ વધારવાની હાલ કોઈ વિચારણા નથી, રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે પરતું પહેલી અને બીજી લહેરની સરખામણીમાં કેસ વધાવાનો આંક ખૂબ ઓછો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54 નવા કેસ સામે આવ્યા છે. જેમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું: આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે જેમાં કોરોના વેરિયંટની ચકાસણી કરવામાં આવશે, જ્યાં કેસ વધી રહ્યા છે તે અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે અને જ્યાં વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક કરાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું કે હાલ રાજ્યમાં વેક્સિનેશન વધુ થયું છે જેના કારણે હવે હોસ્પિટલોમાં જવાની જરૂર પડતી નથી. એટલું જ નહીં બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું પણ હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. પરતું હાલ કોરોનામાં રાત્રિ કર્ફ્યૂ અંગે કોઈ વિચારણા ન હોવાનું જણાવ્યું છે.
બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ આયોજન નથી: આરોગ્ય મંત્રી
રાજ્યમાં11 નવેમ્બરે 40 નવા કેસ હતા. જ્યારે 14 જુલાઈએ 41 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 11 નવેમ્બરે 42 નવા કેસ નોંધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. જ્યારે 3 શહેર અને 24 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 1014ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 90 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 687 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 291 એક્ટિવ કેસ છે, જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 283 દર્દીની હાલત સ્થિર છે.