રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી
ત્રીજી લહેરને લઇ બોલ્યાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે: આરોગ્ય મંત્રી
ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે: આરોગ્ય મંત્રી
રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેરને લઇ બોલ્યાં આરોગ્યમંત્રી
જે રીતે હાલ રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટની શાળામાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ અમરનગરની શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્રએ શાળાને નિશ્વિત સમય માટે બંધ કરવાનો આદેશ કર્યો છે. અમરનગર શાળામાં 7 વિદ્યાર્થીઓઓ તેમજ બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.
ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે: આરોગ્ય મંત્રી
સુરત શહેરમાં એક દિવસમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે જ્યારે અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ આવતા આરોપી વિભાગ દોડતું થયું છે આ તરફ ભેસ્તાનની નગરપ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત બન્યા છે, તો બુડિયા ગામે પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે અને શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.
ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે: આરોગ્ય મંત્રી
આમ શાળા વિદ્યાર્થીઓનો કોરોના કેસ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં જ રાજકોટની સ્કૂલમાં કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં શહેરની SNK સ્કૂલના 4 વિધાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યાં છે. મહાત્મા ગાંધી સ્કૂલના 2 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તો રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તાન્ઝાનિયાથી આવેલી યુવતી પણ કોરોના પોઝિટિવ આવતા આરોગ વિભાગ હરકતમાં આવ્યું છે. આથી શાળાઓમાં એક કોરોનાનાં કેસો વધતા વાલીઓમાં ચિંતાજનક માહોલ ઊભો થયો છે.
અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ
સુરત શહેરમાં એક દિવસમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે જ્યારે અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ આવતા આરોપી વિભાગ દોડતું થયું છે આ તરફ ભેસ્તાનની નગરપ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત બન્યા છે, તો બુડિયા ગામે પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે અને શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.
આણંદમાં આફત બનીને આવતો કોરોના
ઓમિક્રોનની દહેશત વચ્ચે ખેડાના આણંદ જિલ્લામાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આણંદ શહેરમાં એક દિવસમાં 18 નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ 18 કેસમાં 10 કેસ એવા છે જે લોકો વિદેશની પરત ફર્યા છે, આ તમામના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 49 કેસ નોંધાઈ ચુક્યા છે, તો ઓમિક્રોનના 13 દર્દીઓ સાજા થયા છે. ઓમિક્રોન વેરિએન્ટનના કેસની જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરામાં 17 કેસ, અમદાવાદમાં 11 કેસ, ખેડામાં 06 કેસ, આણંદમાં 4 કેસ, રાજકોટમાં 2 કેસ, જામનગરમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ જ્યારે સુરતમાં 2 અને ગાંધીનગરમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે.
અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો બેફીકર
ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના સંકટ વચ્ચે મુસાફરો અને પ્રવાસીઓ બેફીકર જોવા મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો એરપોર્ટના ગેટની બહાર જ માસ્ક વગર જોવા મળ્યા, જ્યારે બીજી તરફ એરપોર્ટ પર વેક્સિન સર્ટિનું ચેકિંગ, કોવિડ ટેસ્ટના દાવા કરવામાં આવી રહ્યા છે, આમ એરપોર્ટના દાવા વચ્ચે પેસેન્જરોની બેદરકારી સામે આવતા મનપાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.