COVID-19: દેશમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે મંત્રીઓ સાથે બેઠક કરવાનાં છે.
દેશમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ
આરોગ્ય મંત્રી આવતી કાલે કરશે બેઠક
રાજ્યનાં મંત્રીઓ પાસેથી કરશે સ્થિતિની સમીક્ષા
દેશમાં કોરોનાનાં કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. છેલ્લાં 2 દિવસોમાં કોરોનાનાં આશરે 80% કેસો વધી ગયાં છે .આ દરમિયાન 2300થી વધારે કેસો નોંધાયા છે. હાલમાં દેશભરમાં કુલ 5335 કેસો કોરોનાનાં સામે આવ્યાં છે. કોરોનાનાં વધતાં કેસોને જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક બેઠક યોજી છે.
આવતીકાલે બેઠક
આવતીકાલ એટલે કે શુક્રવારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોનાં સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે કોરોનાને લઈને એક બેઠક કરશે. આ બેઠક વીડિયો કોન્ફેરેન્સિંગ દ્વારા કરવામાં આવશે. બેઠકમાં અલગ-અલગ રાજ્યોમાં કોરોનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
Mansukh Mandaviya to hold review meet with Health Ministers of States, UTs on COVID situation
કોરોનાનાં વધી રહેલા કેસોને લઈને દેશનાં 2 રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. હરિયાણા-મહારાષ્ટ્રમાં આરોગ્ય કાર્યકરો માટે માસ્ક ફરજિયાત કરવાનો નિયમ લાગૂ પાડવામાં આવ્યો છે.
દેશમાં કોરોનાનાં 5335 નવા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસનાં 5335 નવા કેસો સામે આવ્યાં છે. કોરોના સક્રિય મામલામાં પણ વધારો નોંધાયો છે. એક્ટિવ કેસો વધીને 25587 થયાં છે. ઘણાં સમય બાદ કોરોનાનાં એક દિવસમાં 5 હજારથી વધારે કેસો સામે આવ્યાં છે.
કેટલા લોકોને લાગી છે વેક્સિન?
દેશમાં કોરોનાની વેક્સિન અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધારે ડોઝ લાગી ચૂક્યાં છે. 102.74 કરોડથી વધારે લોકોનો પ્રથમ ડોઝ લાગી ગયો છે આ સિવાય આશરે 95.20 કરોડ લોકોને દ્વિતીય ડોઝ પણ લાગી ગયો છે.