દેશમાં કોરોના સંકટ ભયાનક બનતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. પહેલા પ્રધાનમંત્રી અને હવે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો સાથે બેઠક કરી.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો સાથે બેઠક કરી
7 રાજ્યોને ઓક્સિજન પુરવઠો સુનિશ્ચિત કરવાનો આદેશ
હોસ્પિટલોને પણ તૈયાર રાખવાનો સ્વાસ્થ્ય મંત્રાલયનો આદેશ
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને મેડિકલ ઓક્સિજનના સંદર્ભમાં માળખાગત સુવિધાઓ પર નજર રાખવાની સલાહ આપી હતી. આરોગ્ય પ્રધાનની સલાહ એવા સમયે આવી છે જ્યારે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટને કારણે કોવિડ-19 સંક્રમણ કેસોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે કોવિડ-19 સમીક્ષા બેઠકને સંબોધતા માંડવીયાએ વિનંતી કરી હતી કે તેઓ સુનિશ્ચિત કરે કે "તમામ પ્રકારના ઓક્સિજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એવી રીતે તપાસ કરવામાં આવે કે તે ચાલુ સ્થિતિમાં હોય." "
ગુજરાત સહિત સાત રાજ્યોને કેન્દ્રનો આદેશ
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુજરાત સહિત સાત રાજ્યોને મેડિકલ ઓક્સિજનનો સપ્લાય સુનિશ્ચિ કરવાનો તથા હોસ્પિટલોને તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આ બેઠક બપોરે 3:30 વાગ્યે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવના આરોગ્ય મંત્રીઓ સાથે યોજાઈ હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર
કોરોનાના કેસોની વધતી સંખ્યા વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને લેટર લખીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસોમાં તેજી વચ્ચે માત્ર પાંચથી 10 ટકા સક્રિય કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કેસોની ગતિ પણ દરરોજ વધી રહી છે. હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ કેસોની સંખ્યા અને સક્રિય કેસોની સંખ્યા પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
Union Health Minister Mansukh Mandaviya to meet health ministers, officials from Gujarat, Rajasthan, Madhya Pradesh, Goa, Dadra and Nagar Haveli, Daman and Diu, and Maharashtra at 3:30 pm today to discuss COVID-situation in these states. pic.twitter.com/IrR6ZvTlC9
હોસ્પિટલો તૈયાર રાખજો-રાજ્યોને કેન્દ્રનો આદેશ
કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોસ્પિટલો તૈયાર કરી રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે હાલમાં 5થી 10 ટકા લકોોને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પણ પરંતુ ગમે ત્યારે તેમાં વધારો થઈ શકે છે માટે કેન્દ્ર સરકારે રાજ્યોને આગોતરી ચેતવણી આપી છે.
ભારતમાં કોરોના સંકટ ઘેરુ બનવાના એંધાણ
રાજ્યોને આપેલી કેન્દ્ર સરકારની નવી ચેતવણી જોતો દેશમાં કોરોના સંકટ ઘેરુ બનવાના એંધાણ છે. આજે ભારતમાં 1.79 લાખ કોરોના કેસ નોંધાયા છે.
States advised to undertake a regular review of health infrastructure strengthening, establish teleconsultation hubs in every district and focus on widespread awareness regarding available infrastructure and healthcare services: Union Health Ministry pic.twitter.com/X7VqrT6hAr
આજે કેન્દ્ર સરકારે રાજ્યોને શું આપ્યું એલર્ટ
હાલમાં 5થી 10 ટકા લોકોને હોસ્પિટલની જરુર
ગમે ત્યારે સ્થિતિ બગડી શકે છે
રાજ્યોએ હોસ્પિટલો તૈયાર કરવી રાખવી જોઈએ
રાજ્યોને કોરોનાના સક્રિય કેસો પર નજર રાખવાનો આદેશ
સમગ્ર દેશ અને ગુજરાતની પ્રધાનમંત્રી ચિંતા કરે છેઃ ઋષિકેશ પટેલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સમગ્ર દેશ અને ગુજરાતની પ્રધાનમંત્રી ચિંતા કરે છે. ગઈકાલે પ્રધાનમંત્રી કોરોના સંદર્ભે સમિક્ષા કરી. 7 રાજ્યોના આરોગ્ય મંત્રી-અધિકારીઓ સાથે સમીક્ષા થઈ. સારવાર સહિતની બાબતો પર સમીક્ષા થઈ. ટેસ્ટિંગ અને ટેલી મેડિસિન પર ભાર આપ્યો છે. કેન્દ્રની SOP બાબતે સૂચનો આપવામાં આવ્યા છે. ભારતને જાનહાની ઓછી થાય તેવા પ્રયાસો છે. સરકારો પ્રજા હિતમાં કામ કરી રહી છે.