આ દશકના સૌથી મોટા સંકટમાં એક કોરોના મહામારી છે. તેની સામે લડવા માટે ભારતમાં દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે. શનિવાર સવાર સુધી ભારતમાં કોરોના વેક્સીનની 1.84 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે 23 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ પણ થઈ ચૂક્યો છે. આ સાથે ભારતે દુનિયાના 71 દેશને કોરોનાની વેક્સીન આપી છે. આ સાથે જ સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતમાં જલ્દી જ 6થી વધારે નવી વેક્સીન આવશે. તેઓએ કહ્યું કે ભારતમાં અત્યારે પણ 2 સ્વદેશી વેક્સીનનો ઉપયોગ શરૂ કરાયો છે. હજુ 6 વેક્સીન જલ્દી આવશે અને સાથે જ તેઓએ કહ્યું કે દેશમાં વેક્સીનેશન કાર્યક્રમમાં પણ ઝડપ આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 2.91 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.
दुनिया के बड़े और विकसित देशों में भी भारतीय #vaccine की मांग है। अभी आधा दर्ज़न से अधिक टीके और आने वाले हैं।
यह इस बात का प्रमाण है कि PM श्री @narendramodi जी के कुशल नेतृत्व में भारत ने अपनी बेहतर क्षमता का प्रदर्शन करके आपदा को अवसर में बदल कर दुनिया को दिखा दिया।@PMOIndiapic.twitter.com/3IeEXXtshh
અનેક દેશો હજુ પણ ભારતીય વેક્સીનની કરી રહ્યા છે માંગ
સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે 13 માર્ચે 20 લાખ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. આ સાથે કોરોના સંક્રમણને ખતમ કરવા માટે ભારત પોતાની જ નહીં પણ દુનિયાના અન્ય દેશોની પણ મદદ કરી રહ્યું છે. ભારતે દુનિયાના 71 દેશને વેક્સીન આપી છે. કેનેડા, બ્રાઝિલ અને અન્ય વિકસિત દેશ મોટા ઉત્સાહ સાથે ભારતીય વેક્સીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે અનેક દેશ પણ ભારતની વેક્સીનની માંગણી હજુ પણ કરે છે. આ માટે હજુ પણ નવી 6 જેટલી વેક્સીન જલ્દી ભારતમાં આવશે.
कोरोना के खिलाफ़ ज़ंग में भारत की स्थिति दुनिया में सबसे बेहतर है। जो थोड़े cases बढ़ रहे हैं, उसके लिए लोगों की लापरवाही ज़िम्मेदार है। लोगों को लग रहा है कि अब वैक्सीन आ गई है, इसलिए लोग मास्क नहीं पहन रहे हैं। #VaccineAppropriateBehaviorpic.twitter.com/PWNyOZ0p8G
PM મોદી ઈચ્છે છે નવા ભારતનું નિર્માણ કરાય
કાર્યક્રમમાં સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે પીએમ મોદી એક નવા ભારતનું નિર્માણ કરવા ઈચ્છે છે જેથી ભારતને વિશ્વ ગુરુ બનાવી શકાય. આ સમય ફક્ત એક વૈજ્ઞાનિક લડાઈનો નથી, નથી રાજનીતિ લડાઈનો પણ વિજ્ઞાનનું સમ્માન કરવાનો અને વેક્સીન પર રાજનીતિ ખતમ કરવાનો છે. એકસાથે મળીને કામ કરવાનો અવસર છે. અમારા વૈજ્ઞાનિકોના પ્રયાસો વખાણવા લાયક છે કેમકે તેમની મહેનતના કારણે જ આ બધુ મળ્યું છે. તેઓએ કહ્યું કે વર્ષ 2020ને કોરોના વર્ષ સિવાય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વર્ષના રૂપમાં પણ યાદ રખાશે.