સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે તાત્કાલીક પરિક્ષણની કિટનું ભારતમાં આવતા મહિનાના અંત સુધીમાં નિર્માણ શરુ થઈ જશે. આ સાથે જ કોવિડ-19ના સંક્રમણ પરિક્ષણની ક્ષમતા 1 લાખ પ્રતિદિન પહોંચવાનું લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. ડૉ. હર્ષવર્ધનને મંગળવારે જૈવ પ્રૌદ્યોગીક વિભાગ અને તેના સંબંધિત રિસર્ચ સંસ્થાઓના મુખ્ય અધિકારીઓની કે જે કોરોનાની વિરુદ્ધમાં અભિયાનમાં ટેક્નિકલ સંસાધનો વિકસાવવા કામ કરી રહેલા છે તેમના કામની સમીક્ષા બેઠક બાદ આ જાણકારી આપી હતી.
મેડિકલ ઉપકરણો વિકસિત કરવા માટે ઝડપી કામ કરોઃ ડો. હર્ષવર્ધન
હર્ષવર્ધને આ દિશામાં કામ કરતા વૈજ્ઞાનિકોના પ્રયત્નોને બિરદાવ્યા
જલ્દી જ રેપિટ કિટ તૈયાર થઈ જશે
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ડૉ. હર્ષવર્ધને આ દિશામાં વૈજ્ઞાનિકોના પ્રયત્નોને બિરદાવતા કહ્યુ હતું કે આવાનારા મે મહિનાનાં અંતમાં સ્વદેશી ટેક્નિકના આધારે ત્વરિત પરિક્ષણ માટેની એન્ટી બોર્ડી કિટ અને આરટીપીએસ કિટનું નિર્માણ શરુ થઈ જશે. તેમણે કહ્યું કે આ સાથે જ મે મહિનાના અંતમાં કોરોના સામે પ્રતિદિન 1 લાખ પરિક્ષણ કરવાનું લક્ષ્ય મળવામાંની શક્યતા છે. આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકોને કોરોના સામે રસી, નવી દવા અને સારવાર પદ્ધતિ તથા જરુરી મેડિકલ ઉપકરણો વિકસિત કરવા માટે ઝડપી કામ શરુ કરવાનું કહ્યુ હતું.
તેમણે કહ્યુ હતું કે રસી વિકસાવવા માટે ડઝન પરિક્ષણના પ્રયાસ ચાલી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. જેમાંથી 4 પ્રગતિના લેવલ પર છે. તેમણે જણાવ્યું કે વિભાગ દ્વારા આ દિશામાં 150થી વધારે સ્ટાર્ટઅપ સોલ્યૂશનને મદદ કરવામાં આવી રહી છે. બેઠકમાં વિભાગના સચિવ ડૉ. રેણુ સ્વરુપે કોરોના સંક્રમણની દિશામાં મેડિકલ સમાધાનની શોધની દિશામાં પ્રયત્નોની જાણકારી આપી.