કોરોના રસીકરણનું દેશમાં બીજું ચરણ શરૂ થઈ ગયું છે, અને આજે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સહિતના ઘણા નેતાઓએ રસીનો પહેલો ડોઝ લગાવડાવ્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન
રસીકરણ માટે સક્ષમ લોકો પૈસા ખર્ચીને રસી લેવી જોઈએ : આરોગ્ય મંત્રી
આજે આ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિન લગાવડાવીને સ્વદેશીને વધુ પ્રમોટ કર્યું છે અને તે તમામ સવાલો અને શંકાઓનું સમાધાન પણ કર્યું છે.
સામાન્ય દવાની જેમ બજારમાં ઉતારવાની કોઈ યોજના નથી
જો કે આ પછી આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે આ રસીને અન્ય સામાન્ય દવાઓની જેમ બજારમાં ઉતારવાની કોઈ પણ જ યોજના નથી. કેમ કે હાલમાં જે પણ રસી બનાવી છે તેણે માત્ર ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી જ આપવામાં આવી છે અને તેને ડોકટરો અને વૈજ્ઞાનિકોની ખાસ દેખરેખમાં રાખવામાં આવે છે. માટે તેને બજારમાં અન્ય દવાઓની જેમ ઉપલબ્ધ કરાવવાની કોઈ પણ સંભાવના નથી.
સક્ષમ લોકો પૈસા ખર્ચીને રસી લગાવડાવે
આરોગ્ય મંત્રીએ આજે એમ પણ કહ્યું હતું કે જે લોકો સક્ષમ છે, તેને પૈસા આપીને જ રસી લગાવડાવવી જોઈએ, પછી ભલે તે કોઈ પણ મંત્રી હોય કે સાંસદ હોય કે પછી કોઈ ખાસ વ્યક્તિ. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ભારત બાયોટેકની રસી લગાવડાવીને સ્વદેશીને પ્રમોટ કર્યું છે, અને એ તમામ શંકા કુશંકાઓનું સમાધાન કર્યું છે જે લોકો સવાલો ઉઠાવી રહ્યા હતા. પીએમ મોદીએ આજે પોતે જ આગળ આવીને રસી લગાવડાવી છે.
કોંગ્રેસના સવાલો જવાબ આપવાને લાયક નથી હોતા
આ સિવાય કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી હંમેશા આદર્શ પ્રસ્તુત કરે છે, હવે વધુ લોકો આગળ આવીને રસી લગાવડાવશે, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના સવાલો જવાબ આપવાને પણ લાયક નથી હોતા, તેમનો શું જવાબ આપવો. વડાપ્રધાન મોદી માટે તેમણે કહ્યું હતું કે તેમણે પણ પોતાના વારાની રાહ જોઈ હતી, અને સિસ્ટમના હિસાબે રસી લગાવડાવી હતી. આજે આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતીમાં જણાવાયું હતું કે અત્યાર સુધીમાં દેશમાં ૧ કરોડ ૪૭ લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે.