ભારતમાં કોરોના વાયરસના કેસમાં થોડી રાહત મળી છે ત્યાં બ્લેક ફંગસનો ભરડો વધ્યો છે ત્યારે બીમારીને પગલે કેન્દ્ર સરકાર ટેન્શનમાં મુકાઇ છે.
ભારતમાં બ્લેક ફંગસના વધતાં કેસ
સ્વાસ્થ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરી કહ્યું દવાઓનું પ્રોડક્શન વધારીએ છીએ
બાળકોમાં ટ્રાન્સમિશન ન થાય તે માટે તૈયારી કરવી પડશે : હર્ષવર્ધન
ભારતમાં કોરોના બાદ વધુ એક મહામારી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આખા દેશના અપાર અવ્યવસ્થાઓના કારણે લાખો લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે માંડ કોરોના વાયરસના કેસ થોડા ઓછા થયા છે ત્યાં બ્લેક ફંગસ નામ બીમારીએ આકહ દેશની ચિંતા વધારી છે. કેન્દ્ર સરકાર પણ અલર્ટ થઈ ગઈ છે અને રાજ્યોને આ બીમારીને મહામારી જાહેર કરવા આદેશ આપ્યા છે. ગુજરાતમાં પણ બ્લેક ફંગસ સતત વધી રહ્યું છે ત્યારે આજે બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બ્લેક ફંગસને લઈને મોટું નિવેદન આપ્યું તથા ત્રીજી લહેરમાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
હર્ષવર્ધને ચિંતા વ્યક્ત કરી
બ્લેક ફંગસને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જે કેસ સામે આવી રહ્યા છે તેના કારણે ચિંતા વધી રહી છે. દવાઓનું પ્રોડક્શન વધારવામાં આવી રહ્યું છે.
ત્રીજી લહેર પર આપ્યું મોટું નિવેદન
કોરોના વાયરસની ત્રીજી લહેર મુદ્દે ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે, નહીં આવે, ક્યારે આવશે તેના પર કોઈ વિશ્વાસ સાથે કશું કહી શકે તેમ નથી. આ વાત પર ચર્ચાની જરૂર છે કે આગામી સમયમાં વાયરસમાં મ્યુટેશન થશે તો બાળકો પ્રભાવિત થઈ શકે છે તેથી જરૂરી છે બાળકોમાં તેનું ટ્રાન્સફર ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે અને તેના માટે તૈયાર રહીએ.
વેક્સિનેશન વધારવા પર ભાર
ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આપણે રસીકરણ વધારવાની જરૂર છે અને આપણી પાસે જે રસી છે તેને વહેલી તકે આપી દેવી પડશે. આગામી મહિનાઓમાં વેક્સિનનું નિર્માણ વધારવામાં આવશે.