કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું સોશિયલ ડિસ્ટન્સીંગ અને બીજી ગાઈડલાઈનની લોકો દ્વારા થયેલી ઘોર અવગણનાને કારણે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.
કોવિડ-19 ના યોગ્ય વ્યવહારને ગંભીરતાથી ન લેવાનું પડ્યું ભારે
હજુ પણ સમય છે લોકો ચેતી જાય અન્યથા મહામારી વકરતા વાર નહીં લાગે
ડો.હર્ષવર્ધને જણાવ્યું કે થોડા રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. લગભગ 85 ટકા કેસો પાંચથી છ રાજ્યોમાં છે. તેમણે કહ્યું આ વધારા પાછળનું મુખ્ય કારણ કોવિડ-19 ના યોગ્ય વ્યવહારને ગંભીરતાથી ન લેવાનું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને બિહારમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.
અનેક દેશો હજુ પણ ભારતીય વેક્સીનની કરી રહ્યા છે માંગ
સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે 13 માર્ચે 20 લાખ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. આ સાથે કોરોના સંક્રમણને ખતમ કરવા માટે ભારત પોતાની જ નહીં પણ દુનિયાના અન્ય દેશોની પણ મદદ કરી રહ્યું છે. ભારતે દુનિયાના 71 દેશને વેક્સીન આપી છે. કેનેડા, બ્રાઝિલ અને અન્ય વિકસિત દેશ મોટા ઉત્સાહ સાથે ભારતીય વેક્સીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે અનેક દેશ પણ ભારતની વેક્સીનની માંગણી હજુ પણ કરે છે. આ માટે હજુ પણ નવી 6 જેટલી વેક્સીન જલ્દી ભારતમાં આવશે.
कोरोना वायरस के मामले कुछ प्रदेशों में ही बढ़ रहे हैं, क़रीब 85% मामले पांच-छह राज्यों में हैं। मामलों के बढ़ने का प्रमुख कारण समाज में लोगों के द्वारा कोविड उपयुक्त व्यवहार को गंभीरता से नहीं लेना है: केंद्रीय स्वास्थ्य मंत्री डॉ.हर्षवर्धन #COVID19pic.twitter.com/9fyWW6cHL7
PM મોદી ઈચ્છે છે નવા ભારતનું નિર્માણ કરાય
કાર્યક્રમમાં સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે પીએમ મોદી એક નવા ભારતનું નિર્માણ કરવા ઈચ્છે છે જેથી ભારતને વિશ્વ ગુરુ બનાવી શકાય. આ સમય ફક્ત એક વૈજ્ઞાનિક લડાઈનો નથી, નથી રાજનીતિ લડાઈનો પણ વિજ્ઞાનનું સમ્માન કરવાનો અને વેક્સીન પર રાજનીતિ ખતમ કરવાનો છે. એકસાથે મળીને કામ કરવાનો અવસર છે. અમારા વૈજ્ઞાનિકોના પ્રયાસો વખાણવા લાયક છે કેમકે તેમની મહેનતના કારણે જ આ બધુ મળ્યું છે. તેઓએ કહ્યું કે વર્ષ 2020ને કોરોના વર્ષ સિવાય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વર્ષના રૂપમાં પણ યાદ રખાશે.
આ દશકના સૌથી મોટા સંકટમાં એક કોરોના મહામારી છે. તેની સામે લડવા માટે ભારતમાં દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે. શનિવાર સવાર સુધી ભારતમાં કોરોના વેક્સીનની 1.84 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે 23 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ પણ થઈ ચૂક્યો છે. આ સાથે ભારતે દુનિયાના 71 દેશને કોરોનાની વેક્સીન આપી છે. આ સાથે જ સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતમાં જલ્દી જ 6થી વધારે નવી વેક્સીન આવશે. તેઓએ કહ્યું કે ભારતમાં અત્યારે પણ 2 સ્વદેશી વેક્સીનનો ઉપયોગ શરૂ કરાયો છે. હજુ 6 વેક્સીન જલ્દી આવશે અને સાથે જ તેઓએ કહ્યું કે દેશમાં વેક્સીનેશન કાર્યક્રમમાં પણ ઝડપ આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 2.91 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.