કોરોના વાયરસનો કહેર દરરોજ વધી રહ્યો છે. ગઇકાલે દેશમાં અંદાજે બે ડઝન મામલા સામે આવ્યાં બાદ આંકડો 170 સુધી પહોંચી ગયેલો જોવા મળ્યો. આ વચ્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે અને દરેક જગ્યા પર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગઇકાલે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર પહોંચી વ્યવસ્થાની સમીક્ષા કરી.
એરપોર્ટ પર કરવામાં આવી રહેલી સ્ક્રિનિંગની કરી સમીક્ષા
ભારતમાં બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશ દરમિયાન દરેકવ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રી ડૉ. વર્ષવર્ધન બુધવારે મોડી રાત્રે જ્યારે દિલ્હીના ઇંદિરા ગાંધી એરપોર્ટ પહોંચ્યાં ત્યારે ટર્મિનલ 3 પર ડૉ. હર્ષવર્ધને આ સ્ક્રિનિંગની સમીક્ષા કરી.
#WATCH Delhi: Union Health Minister Dr Harsh Vardhan visited Indira Gandhi International (IGI) Airport (T-3) on the intervening night of 18th & 19th March, to take stock of preparedness in view of #COVID19. pic.twitter.com/v6jMuBR6i4
કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને અહી પ્રવાસીઓ સાથે વાતચીત કરી, ડૉકટરો સાથે વાત કરી અને એરપોર્ટ પર તંત્રના કાર્યની સમીક્ષાકરી. ઉલ્લેખનીય છે કે કેટલાંક દેશમાંથી આવી રહેલા નાગરિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે ભય વધતાં હવે આ નિયમ દરેક દેશમાંથી આવી રહેલા નાગરિકો પર લાગુ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો. ઉત્તર પ્રદેશના નોઇડા, કર્ણાટક, તેલંગાણા, પંજાબ, જમ્મૂ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં બુધવારના રોજ નવા કેસ સામે આવ્યાં. આ કેસ સાથે ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 170 જોવા મળી હતી. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે ભારતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે.