બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આયુર્વેદિક પદ્ધતિથી મેળવો માઈગ્રેનના દુખાવાથી રાહત, બસ અપનાવો આ ઉપાય

હેલ્થ / આયુર્વેદિક પદ્ધતિથી મેળવો માઈગ્રેનના દુખાવાથી રાહત, બસ અપનાવો આ ઉપાય

Last Updated: 10:36 AM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઈગ્રેન એક કઠિન અને લાંબા સમય સુધી ચાલતો માથાનો દુખાવો છે, જે તણાવ અને અનિયમિત જીવનશૈલીથી વધુ વધી શકે છે. દવાઓ વિના રાહત મેળવવા માટે, અહીં કેટલાક અસરકારક આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ.

માઈગ્રેન એ એક એવો માથાનો દુખાવો છે જે લાંબા સમય સુધી રહી શકે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તણાવ, અનિયમિત જીવનશૈલી, ઊંઘની કમી અને ખોટી ખાવાપીવાની આદતોના કારણે આ સમસ્યા વધુ વધી શકે છે. જો તમે દવાઓ વિના આ પીડાથી છુટકારો મેળવવા માંગો છો , તો તમે આયુર્વેદિક ઉપાયો અજમાવી શકો છો. આજે, આપણે માઈગ્રેન માટે અસરકારક અને સરળ ઘરેલું ઉપાયો વિશે જાણશું, જેનાથી તમારે કોઈ દવાની જરૂર નહીં પડે અને તેની કોઈ આડઅસર પણ નહીં થાય.

honey-water

આખા ધાણાની ચા

આયુર્વેદ મુજબ, ધાણાના બીજમાં બળતરા વિરોધી અને એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે માઈગ્રેનના દુખાવાને ઘટાડે છે. આ ચા રક્ત પરિભ્રમણ સુધારે છે અને તણાવ ઘટાડવામાં સહાય કરે છે. આના લાભની વાત કરવામાં આવે તો , માઈગ્રેનથી રાહત આપે. તામારી તણાવ અને ચિંતા ઘટાડે અને ઊંઘની ગુણવત્તા સુધારે.

બનાવવાની રીત

  • 1 ચમચી આખા ધાણા લો.
  • 1 કપ પાણી ઉકાળો અને તેમાં આખા ધાણા ઉમેરો.
  • 5-7 મિનિટ ઉકાળી, પછી ગેસ બંધ કરો અને 2-3 મિનિટ ઠંડું થવા દો.
  • ગાળી લો અને તેમાં 1 ચમચી મધ અને ½ ચમચી લીંબુનો રસ ઉમેરો.
  • આ ચાને ધીમે-ધીમે પીવો.
migran-2

તજ અને મધની પેસ્ટ

તજ અને મધ બંને પીડા નિવારક ગણાય છે. તજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જ્યારે મધ કુદરતી પીડાનાશક છે. આના લાભ અનેક છે જેમ કે માથાના રક્ત પરિભ્રમણમાં સુધારો કરે. તણાવ ઘટાડે અને ખાસ તો તામારી બિમારીથી તમને તાત્કાલિક રાહત આપે છે.

બનાવવાની રીત

  • 1 ચમચી તજ પાવડર અને 1 ચમચી મધ લો.
  • બંનેને સારી રીતે મિક્સ કરો.
  • આ પેસ્ટને કપાળ પર લગાવો અને 15-20 મિનિટ સુધી રાખો.
  • પછી હળવા ગરમ પાણીથી સાફ કરી લો.

આ પણ વાંચો : રેશન કાર્ડ e-kycના નામે એજન્ટો ક્યાંક તમારી પાસે રૂપિયા તો નથી પડાવી રહ્યાં ને? ખાસ જાણી લેજો

આ બે ઉપાયો અજમાવવાથી તમને માઈગ્રેનના દુખાવાથી છુટકારો મળી શકે છે અને દવાઓ પરની નિર્ભરતા ઓછી થઈ શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayurvedic treatment natural remedies migraine relief
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ