ચા સાથે બિસ્કિટ ખાવી સામાન્ય વાત છે. પરંતુ સામાન્ય લાગતી આ વાત આપના સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. આપને જાણીને નવાઇ લાગશે કે ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સત્તાવાર સરકારી કાર્યકર્મોમાં ચા સાથે બિસ્કિટ આપવા પર રોક લગાવી છે.
મંત્રાલયે એક સર્કુલર જાહેર કરતા કહ્યું કે સરકારી કાર્યક્રમોમાં માત્ર સ્વાસ્થ્ય વર્ધક ફૂડ આપવામાં આવશે. આ સર્કુલર જાહેર થયા બાદ કેટલાક લોકો વિચારી રહ્યા હશે કે આખરે બિસ્કિટમાં એવું તે શું છે કે જેથી સરકારે તેના પર રોક લગાવી. અહીં જાણો કે ચાની સાથે બિસ્કિટ ખાવાથી આપના સ્વાસ્થ્યને શું નુકશાન થઇ શકે છે.
બિસ્કિટમાં શુગર ઘણી માત્રામાં હોય છે. શુગરના વધુ પડતા સેવનથી ત્વચા પર તેની અસર પડે છે. બિસ્કિટના વધુ પડતા સેવનથી ચહેરા પર ખીલ આવવા અથવા જલ્દી કરચલીઓ પડી શકે છે.
ચા સાથે ગળ્યા બિસ્કિટ ખાવાથી આપના દાંત પર ખરાબ અસર પડી શકે છે. તેથી દાંત પડી જવા, દાંતમાં જગ્યા થવી, મોંમાં બેક્ટેરિયા થવા જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.
નિયમિત રૂપે ચા સાથે બિસ્કિટ ખાવાથી મેદસ્વિતા અને શરીરમાં ઇન્સ્યૂલિનની માત્રા વધી શકે છે. સવારે-સવારે વધારે કેલેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક બની શકે છે. બિસ્કિટમાં વધારે પડતી મીઠાશથી ઇમ્યૂનિ સિસ્ટમ (રોગ પ્રતિરોધક ક્ષમતા) ઓછી થઇ શકે છે.