ભારતમાં કોરોના કેસમાં ઉછાળો આવતાં કેન્દ્ર સરકારે ફરી એક વાર એડવાઈઝરી બહાર પાડીને નિયમોનું કડકાઈથી પાલન કરવાનું જણાવ્યું છે.
ભારતમાં કોરોના કેસમાં ઉછાળો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડી એડવાઈઝરી
8 નિયમોનું પાલન કરવાની સલાહ
10 અને 11 એપ્રિલે દેશમાં કોરોના મોક ડ્રીલ
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસની લહેર ત્રાટકી રહી છે. હાલમાં જ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. કોરોનાના ખતરા વચ્ચે ફ્લૂના પણ ઘણા કેસ સામે આવી રહ્યા છે, જે વધુને વધુ જીવલેણ બની રહ્યા છે. સામાન્ય માણસના સ્વાસ્થ્ય પર બેવડા હુમલા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કોરોના વાયરસ દરમિયાન જે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું તેને દોહરાવવામાં આવ્યું છે.
Govt planning nationwide mock drill on April 10 and 11 to take stock of hospital preparedness amid rising cases of COVID-19, seasonal influenza: Joint advisory issued by Union Health Ministry and ICMR
10 અને 11 એપ્રિલે દેશમાં કોરોના મોક ડ્રીલ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી મહિનાની 10 અને 11 એપ્રિલે કોરોના વાયરસથી નિપટવા માટે આપણા દેશમાં સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા માટે મોકડ્રીલ લેવામાં આવશે. જેમાં તમામ સુવિધાઓ, સ્ટાફ અને તેને લગતી દવાઓના સ્ટોકની તપાસ કરવામાં આવશે. આ પહેલા પણ ભારતમાં આવી મોકડ્રીલ કરવામાં આવી ચૂકી છે, જ્યારે પાડોશી દેશ ચીનમાં કોરોનાની ભયાનક લહેર હતી.
VIDEO: Prof Ajay K Sood (Principal Scientific Advisor to GOI) says India will present its traditional systems of medicine and seek to harness knowledge of indigenous communities of different countries. He will chair Chief Scientific Advisors' Roundtable of G20 nations next week. pic.twitter.com/ghHA3FeUAS
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.
છેલ્લા ચોવીસ કલાકમાં 1590 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 1590 કોરોના કેસ નોંધાયા છે. આ 2023 ના અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગયા નવેમ્બર બાદ દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાયા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં છ મૃત્યુ નોંધાયા છે. આમાં મહારાષ્ટ્રમાં ત્રણ મોત થયા છે. આ સિવાય કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં એક-એકનું મોત થયું છે. હવે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 530824 થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોલિટિવિટી રેટ 1.23 ટકા નોંધવામાં આવ્યો છે.