પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લાના પ્રાચીરથી એલન કર્યુ હતું કે દેશના તમામ નાગરિકોને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠલ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. હવે 2 મહિના પછી પીએમ મોદીએ ફરી સંકેત આપ્યા છે કે ડિજિટલ હેલ્થ આઈડીનો ઉપયોગ રસીકરણ માટે સુનિશ્ચિત કરવામાં આવશે. ‘ગ્રાન્ડ ચેલેન્જીસ’ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા પોતાના ઉદ્ધાટન ભાષણમાં કહ્યું કે કોરોના સંક્રમણની રસી વિકસિત કરવાના મામલામાં આપણે અગ્રીણ મોર્ચા પર છીએ અને આમાંથી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે.
વિશ્વના 60 ટકા રસીના ડોઝનું ઉત્પાદન ભારતમાં થશે.
હેલ્થ કાર્ડનો ઉપયોગ નાગરિકોના રસીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે
પીએમ મોદીએ ફરી સંકેત આપ્યા છે કે ડિજિટલ હેલ્થ આઈડીથી રસીકરણ થશે
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના અનુભવ અને પ્રતિભા શોધની રીતે ભારત વૈશ્વિક સ્વાસ્થ્ય સેવાઓને કેન્દ્રમાં હશે અને ઈચ્છશે કે તે બીજા દેશોની મદદ કરે. તેમણે યાદ અપાવ્યું કે વૈશ્વિક રસીકરણ કાર્યક્રમોમાં ઉપયોગમાં આવનારા 60 ટકા રસીના ડોઝનું ઉત્પાદન ભારતમાં થશે.
તેમણે કહ્યું કે ભારત પહેલાથી જ એક વેલ એસ્ટાબિલિસ્ટ રસી ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યો છે અને ડિજિટલ હેલ્થ આઈડીની સાથે આ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ આપણા નાગરિકોના રસીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે.
પીએમએ કહ્યું કે ભારતના આકાર અને વિવિધતાએ હંમેશા વૈશ્વિક સમુદાયને ઉત્સુક કર્યા છે. આપણો દેશ સંયુક્ત રાજ્ય અમેરિકાની વસ્તી કરતા 4 ગણો છે. આપણા અનેક રાજ્યો યુરોપના દેશોની બરાબર છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર બહું ઓછો છે. આજે આપણે રોજના નોંધાતા કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોઈ રહ્યા છીએ. ભારતમાં 88 ટકા હાઈએસ્ટ રિકવરી રેટ છે. એવું એટલા માટે છે કેમ કે ભારતમાં જ્યારે લગભગ 100 કેસ હતા ત્યારે પહેલા લોકડાઉન કરનારા દેશોમાં આપણે હતા. માસ્કનાઉપયોગને પ્રોસ્તાહિત કરનારાઓમાં આપણે હતા.
ગત સ્વતંત્રતા દિવસથી પોતાના ભાષણમાં પીએમએ ડિજિટલ કાર્ડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રત્યેક ભારતીય કોહેલ્થ આઈડી આપવામાં આવશે. આ હેલ્થ આઈજડી પ્રત્યેક ભારતીયના સ્વાસ્થ્ય ખાત તરીકે કામ કરશે. તમારા તમામ ટેસ્ટ, દરેક બિમારી, તમે કયા ડૉક્ટર પાસે ગયા, કોઈ કઈ દવા લીધી, તમારો ડાઈગ્રોસિસ, તેનો રિપોર્ટ શુ હતો, ડોક્ટર અપોઈમેન્ટ, પૈસા જમા કરાવ્યા હોય વગેરે તેમાં રહેશે, જેથી હોસ્પિટલની ચિઠ્ઠી બનાવવા માં થઈ રહેલી ભાગદોડ જેવી તમામ સમસ્યાનો ઉકેલ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવી જશે. સારુ સ્વાસ્થ્ય રહેશે તો નાગરિક યોગ્ય નિર્ણય કરી શકશે.