ઘણીવાર લોકો ઘરમાં ઉંદરની આતંકથી મુશ્કેલી અનુભવે છે. જ્યારે ઉંદર ઘરમાં દર બનાવીને રહેવાનું શરૂ કરે ત્યારે સમસ્યામાં વધારો થાય છે. ઉંદરોના તોફાનો ક્યારેય બાથરૂમમાં રાખેલ સાબુ બોક્સ તો વળી ક્યારેક રોટલી જોવા મળતા હોય છે.
આ સાથે જ જ્યારે કાચનો ફ્લાવરપોટમાં તૂટે તો ક્યારેક રસોડામાંથી રોટલી ગાયબ થાય ત્યારે વધારે મુશ્કેલી અનુભવાય છે. આ બધું છોડીને પણ ઉંદરના કારણે ગંભીર બિમારીઓ પણ ફેલાય છે. જોકે હવે બજારમાં ઉંદર મારવાની દવાઓ સરળતાથી મળવાપાત્ર છે. જો કે, આ દવાના વધારે પડતા ઉપયોગથી ચેપ થવાની પણ સંભાવના જોવા મળે છે. ત્યારે ચાલો ઉંદરો માટે કેટલાક ઘરેલુ ઉપાય જાણીએ...
ઘરગથ્થુ ઉપચાર
આપને જણાવી દઇએ કે, ઉંદરને ડુંગળીની સુગંધ સહેજ પણ પસંદ નથી એટલે ઘટના કેટલાક ખુણાઓમાં ડુંગળીના કટકા કરીને રાખવા જોઇએ. તેની તીખી સુગંધને કારણે ઉંદરનો ઉપદ્રવ ઘરમાંથી ઓછો થઇ જશે.
આ સાથે ઉંદરના દર પાસ વાળનો એક ગુચ્છો રાખવો જોઇએ, આ ઘરગથ્થુ ઉપચાર તેના માટે જાનલેવા સાબિત થાય છે. જેને ઉંદર ખાઇને મરી જાય છે. છાણ પણ ઉંદર ભગાડવાનો અકસીર ઉપચાર છે. ઉંદરના દર પાસે છાણની ગોળી બનાવીને રાખવાથી ઉંદર તેને ખાઇને મૃત્યુ પામે છે.
ઉલ્લેખનીય છે કે, ઉંદર તેજપત્તેના સુંગંધથી વધારે આકર્ષિત થાય છે પરંતુ તેમાં રહેલા તત્વો ઉંદર માટે ખુબ જ ઝેરી હોય છે. જેને ખાઇને ઉંદરનું મોત થાય છે. આ સાથે જ ઉંદરના દર પાસે ફટકડીનો એક કટકો અથવા તેનો પાઉડક રાખવાથી ઉંદર ઘર છોડીને ચાલ્યા જાય છે.