ગંભીર બિમારીઓની સામે ઓમિક્રોન વેરિએન્ટ વધારે ઘાતક નથી
ઓમિક્રોનથી પીડિક દર્દીમાં હળવા લક્ષણ જોવા મળ્યા
દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીની સારવાર કરી રહ્યા છે. એક ડોક્ટરે આ વાત કહી છે. દિલ્હીમાં ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટરે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું છે કે ઓમિક્રોનથી પીડિક દર્દીમાં હળવા લક્ષણ જોવા મળ્યા છે અને આમાંથી કેટલાક લોકોને તાવ સુદ્ધા નથી આવ્યો.
શરુઆતના તબક્કામાં ઓમિક્રોન વેરિએન્ટ સામાન્ય લક્ષણ છે
આ હોસ્પિટલમાં બે ડોક્ટર ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની સારવાર કરી રહ્યા છે. તેમણે આ અંગે એએનઆઈની વાત કરી. ડો. મનોજ શર્માએ કહ્યું કે ગંભીરતાના મામલા સામાન્યત ઓમિક્રોન વેરિએન્ટ, ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓછા ઘાતક છે. અમે કેટલાક દર્દીઓને જોયા જેમાં વધારે ગંભીર લક્ષણા નહોંતા ઉભર્યા, તેમણે ફક્ત ઠંડીની ફરિયાદ કરી છે. આને આ દર્દીને તાવ નથી. જો કે આ શરુઆતના તબક્કામાં ઓમિક્રોન વેરિએન્ટ સામાન્ય લક્ષણ છે.
ગંભીર બિમારીઓની સામે ઓમિક્રોન વેરિએન્ટ વધારે ઘાતક નથી
ડો. મનોજ શર્માએ કહ્યું કે દુનિયાભરમાં મળેલા ડેટાથી ખબર પડે છે કે ગંભીર બિમારીઓની સામે ઓમિક્રોન વેરિએન્ટ વધારે ઘાતક નથી. જો કે આ તેજીથી લોકોને સંક્રમિત જરુર કરે છે. હાલમાં અમે એ જાણવા માંગીએ છીએ કે આ વેરિએન્ટના ઘાતક લક્ષણો શું હશે. ત્યારે વુદ્ધ લોકો અને પહેલાથી કોઈ ગંભીર રીતે બિમારીથી ગ્રસ્ત માટે વેરિએન્ટ કેવી રીતે હેરાનગતિનું કારણ બની શકે છે. જો કે હાલ એ ન કહી શકાય કે ઓમિક્રોનથી સંક્રમિત લોકોને ઓક્સિજનની જરુર રહેશે કે તે વધારે બિમાર પડી શકે છે.
કોઈને સ્ટેરોઈડ કે ઓક્સિજનની જરુર પડી નથી
એલએનજેપી હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટરે કહ્યું કે જો કોઈને તાવ આવે તો અમે પેરાસિટામોમલ આપી રહ્યા છીએ. અમને અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત 34 દર્દીની સારવાર કરી છે અને તેમાંથી વધારે લોકોમાં લક્ષણ નહીં ઉભરી રહ્યા હતા. એક દર્દીમાં હળવો તાવ હતો. તો એકને માથાનો દુઃખાવો. તો કોઈને શરદી ખાંસી. તમામ સામાન્ય સારવારથી સાજા થયા છે. કોઈને સ્ટેરોઈડ કે ઓક્સિજનની જરુર પડી નથી.